નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમ ખાતે આજે તા.૨૬ મી જુલાઇ, ૨૦૧૭ ના રોજ બંધની રૂલ સપાટી ૧૦૬.૭૩ મીટરથી વધીને આજે સવારે ૯=૦૦ કલાકે ૧૦૮.૭૯ મીટર થવા પામી હતી. આવનારા સમયમાં પાણીની આવકને લક્ષમાં લઇ આજે કરજણ ડેમનો ૭ નંબરનો દરવાજો ૦.૬૦ મીટરથી ખોલવામાં આવ્યો છે અને બપોરે ૧૨=૦૦ કલાકથી ૧=૦૦ કલાક દરમિયાન ૩૦૦૦ ક્યુસેક જેટલું પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું છે. આજે બપોરે ૧=૦૦ કલાકે કરજણ ડેમની સપાટી ૧૦૮.૮૫ મીટર રહેવા પામી હતી. રાજપીપલા નગરપાલિકાના વિસ્તારના કરજણ નદીના કાંઠા વિસ્તારના તેમજ ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર અને ધમણાચા ગામના હેઠવાસના ગ્રામજનોને સાવધ રહેવાની ચેતવણી આપી હોવાના અહેવાલ જિલ્લા પુર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયા છે.