Aapnu Gujarat
Uncategorized

સંવેદનશીલ અભિગમનું શ્રેષ્ઠ ઉદાહરણ

મનીષા પ્રધાન, અમદાવાદ

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઇને આપણા દેશને આઝાદી અપાવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવાની પરંપરા છે. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ નવતર અભિગમના ભાગરૂપે અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શહેરના બે સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં નરોડામા સંજયનગર વિસ્તારમાં રહેતા ૯૮ વર્ષીય શ્રી લક્ષ્મણભાઈ ચૌહાણના પરિવારમા બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. તેઓએ આઝાદીની લડતમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી. ભારતને મળેલ આઝાદીમા તેમનું યોગદાન અમૂલ્ય છે.
અમદાવાદ જીલ્લા કલેકટર શ્રી સંદિપ સાગલેએ જ્યારે તેમના ઘરની મુલાકાત લઈને તેમનું સન્માન કર્યુ ત્યારે પરિવારજનોએ વાચીતમાં જણાવ્યું કે નાદુરસ્ત તબિયતના કારણે હવે તેમને સાંભળવાની ખુબ મોટી તકલીફ થઈ છે અને જો તેમને સાંભળવાનું મશીન એટલે કે હિયરિંગ એઈડ કાનમાં બેસાડવામાં આવે તો તેમની તકલીફ દૂર થઈ શકે તેમ છે.
આ વાત સાંભળીને કલેકટર શ્રી સંદિપ સાગલેએ તરત જ અસારવા સિવિલ હોસ્પિટલમા ફોન જોડ્યો અને સંલગ્ન ડોકટર સાથે વાત કરી અને તુંરત જ અહી આવીને કાર્યવાહી કરવા જણાવ્યું.
જિલ્લા કલેકટર શ્રી સંદિપ સાગલેના ફોન બાદ ગણતરીના કલાકોમાં જ સિવિલના તબીબો દ્વારા શ્રી લક્ષ્મણભાઈ ચૌહાણના ઘેર જઈને ડિજિટલ હિયરિંગ એઇડ મશીન તેમના કાનમાં ફીટ કરવામાં આવ્યું.
માત્ર એક ફોનથી જ આટલી ઝડપી સારવાર મળતા શ્રી લક્ષ્મણભાઈ અને તેમનો પરિવાર ખુબ જ ખુશ થયા અને જિલ્લા કલેકટર શ્રીનો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો. આવો સંવેદનાસભર અભિગમ જ વહીવટી તંત્રની શાન છે…

Related posts

માળીયા હાટીના તાલુકામાં મેઘલ રિવર કોર ગ્રુપની અનોખી કામગીરી

editor

વિઠ્ઠલ રાદડિયાના સાત વર્ષીય પૌત્રનું બ્રેઇન ટ્યૂમરથી રાજકોટમાં મોત

aapnugujarat

જુનાગઢ મહિલા પોલીસ ટ્રેનિંગ કોલેજમાં વિશ્વ સિંહ દિવસની હર્ષભેર ઉજવણી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1