સુરેશ ત્રિવેદી, ભાવનગર
બે વર્ષથી કોરોના નો રોગચાળો સમગ્ર દેશ અને દુનિયા મા ફેલાયો છે ત્યારે સ્વચ્છતા રાખવી ગંદકી ન કરવી ગંદો કચરો બહાર ન ફેંકવો વિશેષ સ્વચ્છતા જાળવવી આ બધા અભિગમો જાળવવા ખાસ જરૂરી છે ગંદકી એ એક ખૂબજ મોટી સમસ્યા છે અને આ સમસ્યાના પરિણામ સ્વરૂપે આપણને રોગચાળો જોવા મળે છે તો આવી બાબતોને ધ્યાનમાં રાખીને સંસ્થા સ્નેહા ફાઉન્ડેશન દ્વારા સંસ્થાની બાજુમાં આવેલ વિસ્તાર બુદ્ધદેવ સર્કલ જેને સ્થાનિક લોકો મચ્છીચોક તરીકે ઓળખે છે તે જગ્યાએ જઈને સંસ્થાના બાળકો અને કાર્યકરો દ્વારા સફાઇ કરવામાં આવી અને સ્થાનિક લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી ગંદકી ના ફેલાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો…