વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વચ્ચે શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં છે ત્યારે વિરમગામ તાલુકાના અને નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં વરસાદથી ચારેબાજુ ખેતરોમાં પાણી ભરાયાં છે ત્યારે ભારે વરસાદના લીઘે નળકાંઠાના જેતાપુર અને રેથલ ગામ વચ્ચે ગળનાળુ તુટતાં બંને સંપર્ક વિહોણા બન્યાં છે. એક ગામની બીજા ગામમાં અવર જવર બંઘ છે તેમજ નળકાંઠાના થુલેટા અને જેતાપુર ગામમાં મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહારને મોટું નુકશાન થયું છે. સમગ્ર નળકાંઠાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ રહેતાં ખેતીમાં મોટું નુકશાન થવાની ભીતી સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર નળકાંઠાના જેતાપુર ગામમાં વરસાદથી બે મકાનો ઘરાશયી થયાં છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.
:-અમિત હળવદીયા,વિરમગામ