સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે,હાલ સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસએ સૌને પોતાના ભરડામાં લીધા છે, ત્યારે તેનાથી રક્ષણ મેળવવા માટે રસીકરણ એક મોટું શસ્ત્ર આપણી પાસે ઉપલબ્ધ છે.
સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓએ ઉત્સાહભેર પોતાને રક્ષિત કરવા માટે રસી કરણ અભિયાનમાં જોડાયા હતા.
કહેવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી, ધાંગધ્રા, લીબંડી, ચોટીલા પંથકમાં લોકોના શરીર ઉપર ગમે તેવી વસ્તુઓ લોખંડના સિક્કાઓ, માચીસ, ચાવી, પ્લાસ્ટિકની વસ્તુઓ, મોબાઇલ સહિત અનેક વસ્તુઓ ચોટવા લાગી છે. પ્રાથમિક કારણ માં જિલ્લાવાસીઓ દ્વારા વસ્તુઓ ચોટવાનું કારણ પૂછવામાં આવતા કોરોના ની રસી લીધા બાદ આવું શારીરિક પરિવર્તન થતું હોવાનું જાણવા મળ્યું હતું. શરીર ચુંબકીય કોરોના ની રસી લઇ લીધા બાદ થતું હોવાનો દાવો પણ ભોગ બનેલા લોકો દ્વારા કરવામાં આવ્યો છે. જેને લઇને જિલ્લાવાસીઓમાં કુતૂહલ સર્જાય જવા પામ્યું હતું.
પાછલી પોસ્ટ