સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે,સતીષભાઈ ગમારા પૂર્વ વઢવાણ શહેર પ્રમુખ અને જિલ્લા માલધારી સેલના પ્રમુખ કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું ધર્યું હતું.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પક્ષ તરફથી તેઓને માન-સન્માન મળ્યું તેનો સમસ્ત કાર્યકર્તાઓનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું.જ્યારે બીજી તરફ જીતુભાઈ દલવાડી વઢવાણ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખએ અને કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું ધર્યું હતું.આ બંને કોંગ્રેસી આગેવાનો એ પોતાના પદ પરથી રાજીનામું આપતા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.હવે આ બે હોદ્દેદારો પોતાની રણનિતી જાહેર કરી કયા પક્ષ સાથે જોડાઈ સેવા કરશે તે જોવાનું રહ્યું.હાલ તો કોંગ્રેસ પોતાનાની વિકેટો કેમ ટકાવી રાખવી તે એક મોટો પ્રશ્ન છે.સુરેન્દ્રનગર જિલ્લામાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસના નબળા પ્રતિસાદ બાદ કોંગ્રેસની હાલત વધુ કફોડી થતી જણાઈ રહી હોય ત્યારે કોંગ્રેસના બે પૂર્વ હોદ્દેદારો એ સોશિયલ મીડિયા મારફતે રાજીનામું ધરી દેતા કોંગ્રેસમાં મોટો ભૂકંપ આવ્યો હતો
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ