બોલીવુડ ફિલ્મોનો વિરોધ કરતી આવતી કરણી સેના ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે કરણી સેનાએ અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજના ટાઇટલ પર વાંધો ઉઠાવ્યો છે. ફિલ્મના ટાઇટલને લઇને કરણી સેનાનું કહેવુ છે કે, જ્યારે આ ફિલ્મ મહાના પૃથ્વીરાજ ચૌહાણ પર આધારિત છે તો ફિલ્મનું ટાઇટલ માત્ર પૃથ્વીરાજ કેવી રીતે રાખી શકાય. અમે ઇચ્છીએ છીએ કે ટાઇટલને પૂરા નામ સાથે બદલવામાં આવે અને તેમને સન્માન આપવામાં આવે.
કરણી સેનાના યુવા વિંગ અધ્યક્ષ અને ફિલ્મમેકર સુરજીત સિંહ રાઠોડનું કહેવુ હતું કે આ સિવાય કરણી સેનાએ અન્ય શરતો પણ રાખી છે. જેમાં ફિલ્મ રિલીજ થયા પહેલા કરણી સેના માટે ફિલ્મ સ્ક્રિનિંગ કરવામાં આવે. ફિલ્મ પદમાવત દરમિયાન સંજય લીલા ભંસાલી સાથે જે થયું, આ ફિલ્મના નિર્માતાઓ પણ આ માટે તૈયાર રહેવુ પડશે.
અક્ષય કુમારે ૨૦૧૯માં તેના જન્મદિવસે આ ફિલ્મ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં અક્ષય સાથે માનુષી છિલ્લર જોવા મળશે. માનુષી છિલ્લર ફિલ્મમાં પૃથ્વીરાજ ચૌહાણની પત્ની સંયુક્તાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને ચંદ્રપ્રકાશ દ્વિવેદી ડાયરેક્ટ કરી રહ્યા છે જ્યારે આદિત્ય ચોપરા પ્રોડ્યુસ કરી રહ્યા છે.
પાછલી પોસ્ટ