જાે આપણે શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ તો, આગામી ૧૫ જૂન સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. આ સમય દરમિયાન, નાઇટ કફ્ર્યુ પણ ચાલુ રહેશે. રાતનાં દસ વાગ્યાથી સવારનાં પાંચ વાગ્યા સુધી તમામ લોકોએ નાઇટ કફ્ર્યુનું પાલન કરવાનું રહેશે.
મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરએ જાહેરાત કરી છે કે, હરિયાણામાં તા .૭ જૂન સુધી લોકડાઉન વધારવામાં આવી રહ્યું છે. આ સાથે હવે દુકાનો સવારે ૯ થી બપોરનાં ૩ વાગ્યા સુધી ખુલી શકશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, દુકાનદારો ઓડ-ઇવન ફોમ્ર્યુલાનું પાલન કરશે. જાે આપણે શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ તો, આગામી ૧૫ જૂન સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. આ સમય દરમિયાન, નાઇટ કફ્ર્યુ પણ ચાલુ રહેશે. રાતનાં દસ વાગ્યાથી સવારનાં પાંચ વાગ્યા સુધી તમામ લોકોએ નાઇટ કફ્ર્યુનું પાલન કરવાનું રહેશે.
આપને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશ બાદ હરિયાણા સરકાર પણ કોરોના રોગચાળામાં માતા-પિતાને ગુમાવનારા બાળકોનાં ઉછેર માટેની યોજના લઈને આવી છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું છે કે, “હરિયાણામાં કોરોના રોગચાળાને કારણે અનાથ બાળકોનાં ઉછેર માટે આર્થિક સહાય ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ દ્વારા આપવામાં આવશે