સાબરકાંઠાથી અમારા સંવાદદાતા દીગેશ કડિયા જણાવે છે કે, સાબરકાંઠાના મંડપ ડેકોરેશન,ડીજે, ફ્લાવર,લાઇટ ડેકોરેશન,સાઉન્ડ, જનરેટર, ઇવેન્ટના ધંધા સાથે સંકળાયેલ વેપારી મિત્રો ને છેલ્લા એક વર્ષથી પડેલી કોરોના મહામારી ને કારણે ધંધામાં તકલીફો વેઠવી પડી રહી છે. તેને વાચા આપવા ગુજરાત મંડપ એસો. ના આદેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં એક સાથે ઉગ્ર રજૂઆત ના અનુસંધાન માં ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને રજુઆત કરવા માટે કલેકટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવામા આવ્યુ .જેમા ગુજરાત ના મહામંત્રી શ્રી રાજુભાઇ અમીન, જીલ્લા પ્રમુખ અશોકભાઇ સથવારા, મંત્રી શ્રી જતીનભાઈ પટેલ તથા જીલ્લા મંડપ એસોસિએશન ના હોદ્દેદારો તથા સભ્યો જોડાયા હતા.
પાછલી પોસ્ટ