Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમરનાથ બસ દુર્ઘટના બાદ આર્મી દ્વારા ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન

જમ્મુ કાશ્મીરમાં અમરનાથની એક બસ દુર્ઘટનાનો શિકાર થઇ હતી. આ ગોઝારો અકસ્માત થવાનું કારણ એ છે કે, બસનું ટાયર ફાટી જવાનાં કારણે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવતા બસ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ બનાવ જમ્મુના રામબાણ જિલ્લામાં બનીહાલ નજીક જમ્મુ-શ્રીનગર હાઈવે ઉપર બન્યો હતો. બસ ઉંડી ખીણમાં પડી જતાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.

અકસ્માતમાં મોતનો આંકડો વધી શકે છે. આ અકસ્માતમાં ૧૬નાં મોત થયા હતાં અને ૩૫થી વધુ યાત્રીઓ ઘાયલ થયા હતાં.
દુર્ઘટના બાદ બચાવ અને રાહત કામગીરી માટે સેનાના જવાનો પહોંચી ચુક્યા હતાં જેમાં ૪૦૧ એડી રેજીમેન્ટના સુબેદાર પ્રીતમસિંગ યાદવ સહિતના જવાનોએ સરાહનીય કામગીરી બજાવી હતી. આ રેસ્ક્યુ ઓપરેશમાં જમ્મુ પોલીસ અને પેરામિલિટ્રી ફોર્સના જવાનોએ જબરદસ્ત કામગીરી બજાવી હતી.

Related posts

शोपियां मुठभेड़ के दौरान भड़की हिंसा में एक दर्जन से अधिक प्रदर्शनकारी घायल

aapnugujarat

भारत ने आज 38 हजार करोड़ के हथियारों की खरीद की मंजूरी दी

editor

भारत में मिस करने लायक कुछ भी नहीं : विजय माल्या

aapnugujarat

Leave a Comment

UA-96247877-1