Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં હેબતપુર વિસ્તારમાં લૂંટના ઈરાદે વૃધ્ધદંપત્તીની ઘાતકી હત્યા

આજે અમદાવાદમાંથી ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. . અમદાવાદના સોલા વિસ્તારમાં લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતિની કરપીણ રીતે હત્યા કરી દેવામાં આવી છે. જેનાથી આજુબાજુના રહીશોમાં ફફડાટ થઈ જવા પામ્યો છે.હાલ પોલીસ દ્વારા ચોરી કે લૂંટના ઈરાદે હત્યા કરાયાની શંકાથી પ્રાથમિક તપાસ શરુ કરવામાં આવી છે. આ હત્યાકંડની મળતી માહિતી મુજબ સોલાના હેબતપુરા રોડ પરના શાંતિ પેલેસ બંગ્લોઝમાં વૃદ્ધ દંપતિ અશોકભાઈ કરસનદાસ પટેલ અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલનું તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગળું કાપી નાખીને હત્યા કરી દેવાઈ હતી. આ વૃદ્ધ પાટીદાર દંપતિ નિવૃત જીવન ગાળતા હતા. તેમના પરિવારજનોમાં પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. પુત્ર હેતાર્થ પટેલ ઈલેક્ટ્રીક ઈજનેર છે. અને છેલ્લા ચાર-પાંચ વર્ષથી તે દુબઈ શિફ્ટ થયેલો છે.

Related posts

રાજ્યમાં હજુ પણ કોરોનાના કેસ વધશે, લોકો ગભરાય નહિ : રૂપાણી

editor

બનાસકાંઠામાં ટ્રાફિક પોલીસ કર્મી પર હુમલો

editor

ગુજરાત હિંસા : બિલકિસ બાનુને ૫૦ લાખનું વળતર અપાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1