કડવા વચન માટે જાણીતા જૈન મુનિ તરૂણ સાગરજીએ પીપરાલી સ્થિત વૈદિક આશ્રમમાં પત્રકારો સાથે વાતચીતમાં દરમિયાન જણાવ્યું કે પાકિસ્તાનમાં જેટલા આતંકવાદી નથી તેના કરતા વધારે ભારતમાં ગદ્દાર છે. જૈન મુનિ અનુસાર દેશમાં રહીને પણ લોકો દેશ સાથે ગદ્દારી કરે છે. દેશનું ખાય છે અને પાકિસ્તાનું ગુણગાન કરે છે. ભારતમાં રહીને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવે છે તે કેટલી હદ સુધી યોગ્ય છે. તેમનું કહેવું છે કે આતંકવાદીઓ કયારેય પણ સિંહની જેમ સામેથી પ્રહાર નથી કરતા. તેઓ તો શિયાળની જેમ પાછળથી હુમલો કરે છે. જૈન મુનિએ દેશમાં વ્યાપેલી વિસંગતતાઓ પર વાર કરતા કહ્યું કે લોકો કહે છે કે ભારત ગરીબ દેશ છે, જ્યારે ભારત ગરીબ નથી. ભારતમાં બરાબરી યોગ્ય ન હોવાને કારણે ગરીબી છે. અહીં કુલ સંપતિ ૧૦૦ થી ૨૦૦ પરિવારો વચ્ચે જ વહેંચાયેલી છે. તેમણે પોતાના કડવા પ્રવચનો પર સવાલ પર તેમણે કહ્યું કે કડવાહટ તેમના પ્રવચનમાં નહીં હા પણ આપણા સમાજ અને લોકોના પરસ્પર સંબંધોમાં ભળી ગયા છે. માટે તેમનું પ્રવચન કડવું લાગે છે.
પાછલી પોસ્ટ