Aapnu Gujarat
ગુજરાત

ભારતીય દલિત સાહિત્ય અકાદમી ગુજરાતના અધ્યક્ષ જયવંતસિંહ જાડેજાનું સન્માન

ભારતીય દલિત સાહિત્ય અકાદમી ગુજરાતના અધ્યક્ષ શ્રી જયવંતસિંહ જાડેજાના સબળ નેતૃત્વ થકી ભા.દ.સા. અકાદમી સાહિત્ય મંચનું વોટ્‌સએપ ગ્રુપ બનાવી ભારતભરના સાહિત્યકારો માટે ઉત્તમ સાહિત્ય મંચ સજાવી ત્રણ ઓનલાઈન સફળ કાર્યક્રમો કરવામાં આવ્યાં છે. નવોદિત કવિઓને ઉજાગર કરવાનો ને મુર્ધન્ય સાહિત્યકારો નવા સાહિત્યકારો સાથે સાંકળીને સાહિત્ય માટે સુંદર આયોજન કરવામાં આવે છે.
જયવંતસિંહ જાડેજા બહુમુખી પ્રતિભા ધરાવે છે. અન્ય સેવાભાવી સંસ્થાઓમાં પણ જોડાયેલા છે. કોરોના મહામારીના સમયમાં તેઓ જરૂરિયાતમંદો સુધી પહોંચી સેવા કરતા રહે છે.
રાજરત્ન અને કલા સાહિત્ય સમિતિ રાયપુર છત્તીસગઢ દ્વારા યોજાયેલ ઓનલાઈન કાર્યક્રમમાં તેઓ ગુજરાતમાં સૌપ્રથમ આવ્યા છે, તે માટે ભારતીય દલિત સાહિત્ય અકાદમીના હોદ્દેદારો ગર્વ અને આનંદની લાગણી અનુભવે છે.

Related posts

વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે, કચ્છ જિલ્લાને મોટી ભેટ આપશે

aapnugujarat

જળશ્રી કૃષ્ણ – કાળઝાળ ગરમી માં અબોલ પક્ષીઓ માટે વિના મુલ્યે કુંડા નું વિતરણ

aapnugujarat

कोतरपुर क्षेत्र से युवक का शव मिलने से भारी सनसनी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1