દિવ્ય ભાસ્કર ના અભિયાન “જળ શ્રી કૃષ્ણ અંતર્ગત જળસખા કાર્યક્રમ થી પ્રેરિત” થઈ ચાંદખેડા યુવા સંગઠન દ્વારા ચાંદખેડા માં આ કાળઝાળ ગરમી માં અબોલ પક્ષીઓ માટે વિના મુલ્યે પક્ષી ઓ માટે 300 જેટલા પાણી ના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું અને દરેક વ્યક્તિ ને કુંડા ની સાથે સાથે રોજીંદા જીવન માં કઈ રીતે પાણી ની બચત કરવી તે પણ સમજાવવા માં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે ”થોડુંક પાણી બચાવજો અને આ અબોલ પક્ષી ઓને પીવડાવજો.”