Aapnu Gujarat
Uncategorized

શિવરાજસિંહ ચૌહાણ થયા કોરોના પોઝીટીવ!

કોરોના સંક્રમણ અટકવાનું નામ લેતી નથી તેમાં રાજકારણીઓ પણ બાકાત નથી. મધ્યપ્રદેશના ભાજપાના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે. આ બાબતની જાણકારી તેમણે પોતે જ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આપી છે.
શિવરાજ સિંહ ચૌહાણે લોકોને સાવધાની રાખવાનું કહ્યું છે. આગળ લખ્યું કે નાનકડી ચૂક કોરોનાને આમંત્રણ આપે છે.

શિવરાજ સિંહ ચૌહાણે લખ્યું કે મારા પ્રિય પ્રદેશવાસીઓ મને COVID19ના લક્ષણ આવી રહ્યા હતા ટેસ્ટ બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા તમામ સાથીઓને અપીલ છે કે જે પણ મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લો. મારા નજીકના સંપર્કવાળા લોકો ક્વારેન્ટાઇનમાં જતા રહો.

શિવરાજ સિંહે આગળ લખ્યું કે હું કોરોના ગાઇડલાઇનનું પૂરું પાલન કરી રહ્યો છું. ડૉકટરની સલાહથી ખુદને ક્વારેન્ટાઇન કરીશ અને સારવાર કરાવીશ. મારી પ્રદેશની જનતાને અપીલ છે કે સાવધાની રાખો, જરા પણ અસાવધાની કોરોનાને નિમંત્રણ આપે છે.

Related posts

રૂપાણીનાં પત્નીનો રાજકોટ પશ્ચિમ બેઠક પર ૫૧૦૦૦ મતોથી જીતનો દાવો

aapnugujarat

કોંગ્રેસમાં અનુસૂચિત જાતિના નેતાની કરાઈ વરણી

editor

રાજકોટ જિલ્લામાં આવેલ ઓસમ ડુંગરની આરોહ અવરોહણ સ્પર્ધા યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1