Aapnu Gujarat
મનોરંજન

“કસૌટી જિંદગી કે”નું ત્રણ દિવસ બાદ શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું

કોરોના મહામારી અને લોકડાઉન બાદ ફરી ટીવી સિરિયલના શુટિંગ ચાલુ કરવામામ આવ્યા છે અને કલાકારો કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે.. 12 જુલાઈના રોજ કસોટી જિંદગી કે ફેમ અકેટર પાર્થ સમથાનનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાર્થ સિરિયલ ‘કસૌટી જિંદગી કે’નું શૂટિંગ કરતો હતો ત્યારે સેટ પર 30 સભ્યો હતાં. ત્રણ દિવસ સુધી શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું.

હવે, બીજીવાર શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્થ હાલમાં શૂટિંગ કરી શકશે નહીં અને તેથી જ સ્ટોરીલાઈનમાં એ પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો છે. સિરિયલના સેટ પર બીજા ચાર લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં, જેમાં બે સિક્યોરિટી ગાર્ડ, એક ઓફિસ મેન તથા એક સ્પોટબોય સામેલ છે.

શોની લીડ એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝ તથા કોમોલિકા બનતી આમના શરીફ હાલમાં આઈસોલેટ છે. આથી હવે મેકર્સ પૂજા બેનર્જી તથા શુભાવી ચોક્સે સાથે શૂટિંગ કરશે. સિરિયલમાં પૂજા બેનર્જી એક્ટર પાર્થ સમથાનની બહેનની ભૂમિકામાં તથા શુભાવી માતાના રોલમાં જોવા મળે છે. આમના શરીફના સ્ટાફ મેમ્બરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેથી જ તે 14 દિવસ ક્વોરેન્ટાઇન છે.

સરકારી ગાઈડલાઈન મુજબ 24 જૂનના રોજથી સિરિયલનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પાર્થના હિસ્સાનું શૂટિંગ મોટાભાગનું થઈ ગયું છે. હવે એરિકા તથા આમના સેલ્ફ આઈસોલેશનમાં હોવાથી થોડો સમય સેટ પર આવી શકશે નહીં. આથી જ મેકર્સ મિસ્ટર બજાજ એટલે કે કરણ પટેલના રોલ પર ફોકસ કરશે.

Related posts

મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષા વધારી

aapnugujarat

पूजा बनर्जी के घर जल्द आने वाला हैं नन्हा मेहमान

editor

नेहा धूपिया रोडीज के तीसरे सीजन में जज के तौर पर नजर आएंगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1