Aapnu Gujarat
Uncategorized

પિતાના અવસાન બાદ મામાને ત્યાં આશરો લીધો, મામાએ જ ભાણીનું શિયળ લૂંટ્યું

ધોરાજીની ૧પ વર્ષીય દેવીપૂજક સગીરા સાથે તેના મામા અને મામાના દિકરાએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતા ભારે ચકચાર જાગી છે.ધોરાજીના જૂનાગઢ રોડ પર રહેતા દેવીપૂજક પરિવારના મોભીનું ચારેક વર્ષ પહેલા અવસાન થતા તેની સગીર પુત્રીને તેની માતાએ જામકંડોરણા તાલુકાના અડવાળ ગામે રહેતા મામાને ત્યાં પરવરિશ માટે મોકલી હતી.ભોગ બનનાર યુવતી છેલ્લા ચાર વર્ષથી તેના મામા-મામી સાથે રહેતી હતી, તેની સાથે મામા અને મામાના દિકરા દ્વારા બળાત્કાર થતા ભોગ બનનાર અને તેની મોટી બહેને પોલીસને જાણ કરતા જામકંડોરણા પીએસઆઈ વી.આર.ખેરે ભોગ બનનાર સગીરાની આપવીતી સાંભળી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે મેડીકલ ચેક અપમાં લાવી તેના મામા મુકેશ અને તેના અન્ય મામાના દિકરા ભરત વિરૃધ્ધ પોસ્કો અને બળાત્કાર અંગેની ફરિયાદ નોંધી હતી.તપાસનીશ અધિકારી ખેરે જણાવ્યું હતું કે આશરે બે માસ પહેલા સગીરા સાથે મુકેશ અને ત્યાર બાદ થોડા દિવસ પછી ભરતે દુષ્કર્મ આચર્યું હોવાની ભોગ બનનારે હકીકત જણાવી હતી. હાલ બંને આરોપી વિરૃધ્ધ ગુનો દાખલ કરાયો છે.બંને આરોપી ફરાર છે અને મુકેશ દેશી દારૃ બનાવવાનો ધંધો કરતો હોઈ પ્રોહીબીશનના એક કેસમાં પકડવાનો બાકી છે. આથી તે અડવાળમાં રહેતો નથી અને હાલ ફરાર છે.

Related posts

ભાવનગર મહાનગરપાલિકાની ઈ – રિક્ષા ભંગારમાં !!

editor

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગીર સોમનાથ જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

aapnugujarat

મગફળી પાકમાં લીલી ઇયળનો આતંક

editor

Leave a Comment

UA-96247877-1