Aapnu Gujarat
સ્વસ્થતા

શું તમે પણ છાપાના પડિયામાં જમો છો નાસ્તો, થઈ જજો સાવધાન કારણકે….

જો તમે છાપામાં વીંટાળેલા ખોરાક ખાવ છો તો થઇ જાવ સાવધાન. કેમ કે આમ કરવાથી તમે થઇ શકો છો બિમાર! અને આ બિમારી ઘાતક પણ પુરવાર થઇ શકે છે. સામાન્ય રીતે રેલ્વે સ્ટેશન પર, બસ સ્ટેન્ડ પર કે રસ્તાના કિનારે લારીનું ખાવાનું મોટેભાગે આ રીતે છાપામાં પેક કરીને તેના પડિયામાં આપવામાં આવે છે. સમોસા, કચોરી, ભજિયા, વડાપાઉં જેવી અનેક સ્વાદિષ્ય ચીજવસ્તુઓ આ રીતે રસ્તામાં મળે છે. અને દરેક લોકો પણ આવી વસ્તુઓ વધુ ખાતા હોય છે. પણ શું તમને ખબર છે કે આ વાત તમને ખૂબ જ બિમાર કરી શકે છે.

છાપામાં પ્રિટીંગ કરવા માટે જે શાહી વપરાય છે તે આ ગરમ કે તળેલી વાનગીઓ પર લાગી જાય છે. અને બસ આજ એક કારણ છે કે તમને વિવિધ જીવલેણ બિમારી થવાની તકલીફ વધી જાય છે. જેના લીધે પેટ ખરાબ થઇ શકે છે. પેટમાં ઇન્ફેક્શન થઇ શકે છે. છાપામાં રાખેલું આ ખાવાનું ક્યારેક લાંબા સમય સુધી ના રાખવું જોઇએ. તેવું કરવાથી શરીરનો વિકાસ પણ રૂંધાઇ શકે છે.

તમને કહી દઇએ કે 2016માં દેશની ખાદ્ય સુરક્ષા નિયામક એફએસએસએઆઇ એ પણ ખાવાની વસ્તુઓને છાપામાં નાંખીને આપવાની આદતને ખરાબ કહી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે છાપામાં રાખેલ ખોરાક ખાવાથી કેન્સર રોગ જેવી બિમારીઓ પણ થઇ શકે છે.

છાપામાં રાખેલ આ ખોરાક ખાવાથી તમને આંખાનું તેજ પણ જઇ શકે છે. એટલું જ નહીં તેનાથી પાચનતંત્રને પણ નુક્શાન થઇ શકે છે. જાણકાર તો ત્યાં સુધી કહે છે કે તેનાથી હોર્મોનલ સંતુલન પણ બગડવાની સમસ્યાઓ રહેલી છે.

Related posts

શું તમને પણ એસિડિટી ની તકલીફ છે, અપનાવો આ ટિપ્સ – જડમૂળથી થઈ જશે દૂર

aapnugujarat

મેડીકલ ન્યૂઝ ટુડે પ્રમાણે પેટ સાફ ન રહેવાના આ છે મુખ્ય 3 કારણો, જાણો એક ક્લિક પર

aapnugujarat

“મેન્સ્ટ્રુઅલ કપ્સ” શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તેના ફાયદા શું છે? જાણો સમગ્ર માહિતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1