Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર ખાતે હરિઓમ સોસાયટી શ્રી સિદ્ધિવિનાયક મંદિર દ્વારા ગણેશ મહોત્સવ ઉજવાયો

શ્રી શિવલાલ રામગોપાલ સોમાણી, હરિઓમ સોસાયટીથી દાદાની શોભાયાત્રા નીકળી હતી જે ગાયત્રી મંદિર રોડથી લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી વાજતે ગાજતે બેન્ડબાજા સહિત શ્રી સિદ્ધિવિનાયક મંદિર આવી જેમાં અનેક ભક્તોએ ઉપસ્થિત રહી દાદાની શોભાયાત્રામાં મન મૂકીને નાચ્યાં અને હર્ષોલ્લાસ સાથે દાદાની વધામણી કરી. સોસાયટી સોસાયટીએ ભક્તોએ આરતી ઉતારીને દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ગણેશ યુવક મંડળ પ્રમુખ બ્રિજેશપટેલે કર્યું હતું. તદુપરાંત મંડળના અન્ય સભ્યો જીતુ દેસાઈ, હિતેશ પટેલ, વિનોદ જોશી, બાબુભાઈ પટેલ, કિશનભાઇ,નૈતિકભાઈ, રાજુભાઈ, લક્ષ્મીબાઈ ભવન પ્રિયંક, રાજ તથા માહેશ્વરી સમાજના ભાઇઓ તથા બહેનોએ ઉપરાંત સિદ્ધિવિનાયક મહિલા મંડળ તથા આસપાસના વિસ્તારના ભક્તોએ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

केवडीया के सफारी पार्क में टाइगर्स -शेर सहित के प्राणी लाये जाएंगे : गणपत वसावा

aapnugujarat

अहमदाबाद शहर में ९ दिन में स्वाइन फ्लू से १२ मौत

aapnugujarat

બનાસકાંઠા ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1