Aapnu Gujarat
ગુજરાત

ઠકકરબાપાનગર વોર્ડમાં ગેરકાયદે બાંધકામો દુર

શહેરમાં છેલ્લા ઘણાં સમયથી રસ્તાઓ ખુલ્લા કરવા,દબાણો દુર કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ તંત્ર તરફથી હાથ ધરવામાં આવી છે જેમાં આજે શહેરના ઠકકરબાપાનગર વોર્ડમાં કોમર્શીયલ પ્રકારનું બાંધકામ દુર કરી ૧૧૭૩ ચોરસફૂટનું બાંધકામ દુર કરવામાં આવ્યું છે.આ અંગે ઉત્તરઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર મયંક શાહે કહ્યુ છે કે,ટી.પી.સ્કીમ નંબર-૬૬ સૈજપુર બોઘાના ફાઈનલ પ્લોટ નંબર-૬૧-૩માં સરદારચોક પાસે કોમર્શીયલ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યુ હતુ.આ બાંધકામને દુર કરવા અંગે બાંધકામ કરનારને નોટિસો આપીને જાતે બાંધકામ દુર કરવા પણ કહેવામાં આવ્યું હતુ આમ છતાં આ ગેરકાયદેસર બાંધકામને દુર કરવામાં ન આવતા આજે ઉત્તરઝોન એસ્ટેટ વિભાગ તરફથી સ્ટાફ,દબાણની ગાડી અને કોન્ટ્રાકટના મજુરો સાથે આ બાંધકામને તોડી પાડવામાં આવ્યુ છે આવનારા દિવસોમાં પણ આ પ્રકારના બાંધકામોને દુર કરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

Related posts

दीनू बोघा सहित सात आरोपियों को आजीवन कारावास की सजा

aapnugujarat

કતલખાને લઈ જવાતા મુંગા પશુઓને બચાવાયા

editor

नारोल-हाटकेश्वर सर्किल समेत कई सर्कल अब छोटे किए जाएगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1