Aapnu Gujarat
ગુજરાત

ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર સંવેદનશીલ અને સકારાત્મક અભિગમ ધરાવે છે : કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી  

M.O.D.I. ફેસ્ટના શુભારંભ પ્રસંગે કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યુ હતું કે, ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર સંવેદનશીલ અને સકારાત્મક અભિગમ ધરાવે છે. તેમણે જણાવ્યુ કે, ગુજરાત સરકારે ખેડૂતોને ૧ ટકાના અત્યંત રાહતભર્યા વ્યાજ દરે ધિરાણ આપવાની વ્યવસ્થા કરી છે. તેમણે જણાવ્યુ હતું કે, ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવો મળે તે માટે ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે આ વ્યવસ્થા હેઠળ ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી મગફળી અને તુવેરની ખરીદી કરી છે. ખેડૂતની આવક બમણી કરવા સરકાર કૃત સંકલ્પ છે.

Related posts

સચિવાલયનો કર્મચારી ૧૦ મિનિટ ફરજ પર મોડો પડશે તો અડધી રજા ગણવામાં આવશે

editor

નાની ખજૂરી પ્રાથમિક શાળા ના ૭ બાળકો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ -૬ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ક્વોલીફાઈ થયાં છે

aapnugujarat

એરપોર્ટના ખાનગીકરણ સામે કર્મચારીઓનો વિરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1