Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પીએમ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડવા અંગે પાર્ટીનો નિર્ણય માનીશ : પ્રિયંકા ગાંધી

કોંગ્રેસના માહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે કહ્યું કે, વારણસી લોકસભા સીટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાનો અંગે તેઓ પાર્ટીનો નિર્ણય માનશે.
પ્રિયંકાને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે, શું તેઓ વારણસીમાં મોદીની સામે ચૂંટણી લડશે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે, ‘ હું સતત કહી રહી છું કે હું એ જ કરીશ જે પાર્ટી મને કરવા માટે કહેશે’
પ્રિયંકાએ સોમવારે અમેઠી અને રાયબરેલીના બે દિવસીય પ્રવાસ પર છે. તેમણે કહ્યું કે દેશની જનતા દુખી છે. અને પીડિત હોવાનો અહેસાસ કરી રહી છે. જનતા પણ હવે પરિવર્તન ઇચ્છે છે. તેના પ્રવાસ દરમિયાન બીજા દિવસે તે ગૌરીગંજમાં પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી.
ઉલ્લેખનિય છે, કે પ્રિયંકાએ સોમવારે ફુરસતગંજ ચારરસ્તા પર આયોજીત નુક્કડ સભામાં કહ્યું કે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની જનતાને ખોટું કહી રહી છે, કે રાહુલ અમેઠી નથી આવતા. અહિના લોકોને સાચી વાતની જાણ છે. જનતા એ પણ જાણે છે, કે કોના દિલમાં અમેઠી છે. અને કોના દિલમાં નથી. ચૂંટણી ઘણાં બધા બહારના લોકો આવી ગયા છે.

Related posts

अमरनाथ यात्रा : दर्शनार्थीयों ने तोडा 3 साल का रिकार्ड, 2,85,381 के पार हुआ आंकड़ा

aapnugujarat

લખનૌની કેજીએમયુ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આગ લાગતાં દર્દીઓમાં ભાગદોડ

aapnugujarat

उत्तर प्रदेश में तीन मौलवियों की पिटाई कर ट्रेन से फेंका गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1