Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અલી અને બજરંગબલી ભેગા મળીને લેશે ભાજપની બલિ : આઝમ ખાન

રામપુરથી મહાગઠબંધનના ઉમેદવાર અને સપા નેતા આઝમ ખાને રાફેલ ડીલ કેસ અને સીએમ યોગીની મેરઠની એક ચૂંટણી રેલીમાં અલી-બજરંગબલીવાળું નિવેદન પર કટાક્ષ કર્યો છે. આ સાથે જ તેમણે પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. આઝમ ખાને કહ્યું કે, શાસન પ્રશાસને રામપુરને નરક બનાવી દીધુ છે. અહીં ક્યારે પણ લોહિયાળ નાટક થઇ શકે છે.
રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના આદેશ પર એસપીના નેતા આઝમ ખાને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પણ આજે સ્પષ્ટ કરી દીધુ છે. તેમણે કહ્યું કે જે દસ્તાવેજોને તેઓ કહેતા હતા કે લીક કરી શકતા નથી, અદાલતે જણાવ્યું હતું કે, સમાચારમાં છપાઇ ગયા પછી તેમાં શું બાકી રહ્યું? તેથી, બધા જ પેપર સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવશે. તેમણે પ્રધાનમંત્રીને કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે, તમે ટ્રસ્ટ જાહેર કરો અને તપાસમાં સહકાર આપો.સપા નેતા આઝમ ખાને મેરઠ સીએમ યોગી દ્વારા અલી-બજરંગબલીવાળા નિવેદન પર કહ્યું કે, બજરંગબલી અને અલી બંને ભેગા મળી ભાજપની આપશે બલિ. તેમણે કહ્યું કે આ લોકોની હાર તો નક્કી છે.પીએમ મોદીએ એર સ્ટ્રાઇક અને શહીદોના નામ પર વોટ માગવાના નિવેદન પર આઝમ ખાને કહ્યું કે ઇલેક્શન કમીશને અમારાથી નફરત છે. તેમણે ચૂંટણી કમિશન પર નિશાન સાધતા કહ્યું કે, બધી કાર્યવાહી તેઓ માત્ર મારી સામે જ કરે છે.

Related posts

ટેરર ફંડિંગ : ૩૬ કરોડની કરન્સી સાથે એનઆઈએ દ્વારા ૯ની ધરપકડ

aapnugujarat

ग्रैंड चैलेंजेज वार्षिक बैठक के उद्घाटन समारोह में शामिल होगें PM मोदी

editor

Yogi cabinet Expansion : 23 MLAs take oath as Ministers in UP Govt

aapnugujarat

Leave a Comment

UA-96247877-1