Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

‘કાશ્મીર વિવાદનો ઉકેલ લાવે તે જ શાંતિ માટેના નોબેલના સાચા હકદાર’

પાકિસ્તાની સંસદમાં ઇમરાન ખાનને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની ઉઠી રેહલી માંગ વચ્ચે ઇમરાન ખાને આ અંગે ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે, હું નોબેલ શાંતિ પુરસ્કાર માટે યોગ્ય નથી. નોંધનીય છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે ભારતીય પાયલટને ભારતને સોંપ્યા બાદ પાકિસ્તાની સંસદમાં ઇમરાન ખાનને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાના સમર્થનમાં એક પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો.
ઇમરાન ખાને ટ્‌વીટને કરીને જણાવ્યું હતું કે, હું નોબેલ શાંતિ પુરસ્કાર માટે યોગ્ય નથી. નોબેલ પુરસ્કાર એને આપવું જોઇએ જે કાશ્મીરના લોકોની આશાઓ મુજબ વિવાદને ઉકેલે અને ઉપખંડમાં શાંતિ અને માનવ વિકાસ માટેનો માર્ગ મોકળો કરે છે.
ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાની વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે સંસદમાં ઇમરાન ખાનને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાના સમર્થનમાં એક પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ નીચલા ગૃહના સચિવાયલને આ પ્રસ્તાવ સોંપ્યો હતો. પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર ભારતને સોંપવાના નિર્ણય લેવા માટે ઇમરાન ખાનને નોબેલ શાંતિ પુરસ્કારના હકદાર છે.

Related posts

Pakistan PM Imran Khan will visit Russia in September to attend EEF

aapnugujarat

પાકિસ્તાનમાં ઈમરાન શરિયા મુજબ શિક્ષણ પધ્ધતિ લાગુ કરશે

editor

‘RRR’ જુનિયર NTRનું વ્રત: ૨૧ દિવસ ઉધાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1