Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી આતંકવાદના ઓથા હેઠળ પોતાની નિષ્ફળતાઓ છૂપાવી રહ્યા છે : માયાવતી

બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માવતીએ સત્તારૂઢ ભાજપ અને નરેન્દ્ર મોદી પર આતંકવાદના ઓથા હેઠળ પોતાની સરકારની નિષ્ફળતાઓ છૂપાવવાનો આરોપ લગાવ્યો છે.
માયાવતીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં પુલવામા હુમાલો અને ત્યારબાદ સતત ચાલી રહેલા ઘટનક્રમથી સમગ્ર દેશ હેરાન પરેશાન છે. કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદ અને ભારત-પાકિસ્તાનની સરહદ પરની તણાવની સ્થિતિ વચ્ચે ભાજપના નેતા અને વિશેષ રીતે પીએમ મોદી પોતાની તમામ નિષ્ફળતાઓ છૂપાવી રહ્યા છે. ત્યાં જે ઘટનાઓ થઇ રહી છે તેના ઓથા હેઠળ ભાજપ ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે.
અગાઉ માયાવતીએ જણાવ્યું હતું કે, ભારત યુદ્ધની અણીએ છે અને દેશને એક નેતાની જરૂર છે. વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય સુરક્ષા પર ધ્યાન રાખવાના બદલે ભાજપના કાર્યકર્તાઓને સંબોધી રહ્યા હતા.

Related posts

देश में कोरोना का आतंक जारी: संक्रमितों का आंकड़ा 7 लाख के करीब

editor

હદ થઈ ગઈ ! દારૂ પીધેલી હાલતમાં બે નમૂનાઓએ એકબીજા સાથે જ લગ્ન કરી લીધા

aapnugujarat

મોદી સિવાય કોઈ વડાપ્રધાન માટે લાયક નથી, એમ કહેવું જનતાનું અપમાન છે : માયાવતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1