Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણીમાં ભાજપ ફરી જીતશે અને રાહુલ ગાંધીને અમેઠીમાં હરાવીશું : યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ફરી વખત બહુમતિથી ચૂંટણી જીતશે અને દેશમાં સત્તા પર આવશે એટલુ જ નહીં પણ અમેઠીમાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીને હરાવશે. સરકારે ઘણા હકારાત્મક કામ કર્યા છે અને તેના આધારે જીત મેળવશે. યોગી આદિત્યનાથે જણાવ્યું કે, અમારા કાર્યકરોની મહેનત અને કલ્યાણકારી યોજનાઓને કારણે ભાજપ ફરી વખત સત્તા પર આવશે. અમેઠીમાં પણ ભાજપ જીત હાંસલ કરશે અને ઇતિહાસ રચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેઠી આવી રેલી કરવાનાં છે તેની તૈયારીનું નિરીક્ષણ કરવા માટે યોગી આદિત્યનાથ અમેઠી આવ્યા હતા.
તેમણે કહ્યું કે, મને એ ખુબ દુખ થાય છે કે, ૧૯૯૮માં ભાજપે અમેઠીની બેઠક જીતી હતી પણ તે પછી આ બેઠક પર જીત નથી મળી. મળે કઠોર પરિશ્રમથી આ બેઠક પર જીત મળી શકે છે અને તેના વિશે કોઇ શંકા નથી”.
રવિવારે નરેન્દ્ર મોદી અમેઠીમાં સભાને સંબોધવાનાં છે અને આ માટે યોદી આદિત્યનાથે કાર્યકરોને આદેશ આપ્યો છે કે તેમાં કોઇ કચાશ રહે નહીં. મોદી અમેઠીમાં વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.
ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આયુષ્યમાન ભારત અને પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધી યોજનાઓએ અનેક લોકોનાં જીવન બદલ્યા છે.

Related posts

मोदी सरकार अहंकार को अलग रखें और किसानों को उनका अधिकार दें : राहुल गांधी

editor

બહારી પરીબળથી પેટ્રોલ અને ડિઝલની કિમતમાં વધારો થયો : ધર્મેન્દ્ર પ્રધાન

aapnugujarat

निजता के अधिकार पर उच्चतम न्यायालय का निर्णय नये युग का संदेशवाहक : सोनिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1