છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાન અજય દેવગણની તાનાજી ફિલ્મમાં નેગેટિવ રોલ કરવાનો હોવાની જાણકારી મળી હતી.
અગાઉ અજયે વિશાલ ભારદ્વાજની ઓમકારા અને ત્યારબાદ એલઓસી ફિલ્મો સાથે કરી હતી. બંને વચ્ચે સારો મમેનળ છે. આ ફિલ્મ છત્રપતિ શિવાજીના મર્દ સેનાપતિ તાનાજી માલુસરેની બાયો-ફિલ્મ છે અને અજય પેાતે એમાં તાનાજીનો રોલ કરી રહ્યો છે.
સૈફે પોતાના રોલ વિશે વાત કરતાં કહ્યું હતું કે મારા માટે આ રોલ ખરેખર પડકાર રૃપ છે. બીગ બજેટ ફિલ્મ હોવા ઉપરાંત આ ફિલ્મની કથા મરાઠા ઇતિહાસનું એક મહત્ત્વનું પ્રકરણ છે એટલે મહારાષ્ટ્ર રાજ્યના લાખ્ખો લોકોની લાગણી એની સાથે જોડાયેલી છે. મારે એ ધ્યાનમાં રાખીને રોલને કરવાનો છે. મારે રોલ કરતી વખતે સાવધ રહેવું પડશે અને પૂરતી તકેદારી રાખવી પડશે.
અજયે કહ્યું કે મેં ફિલ્મ કાલાકાંડીમાં સૈફનું કામ જોયું હતું. મને એના જેવો એક ઊર્જાવાન અભિનેતા જોઇતો હતો. જો કે આ રોલ વિલન ટાઇપનો હોવાથી મેં એને છૂટ આપી હતી કે ન કરવો હોય તો ના પાડજે. મને ખરાબ નહીં લાગે. પરંતુ સૈફે આ રોલ સ્વીકારી લીધો હતો.