Aapnu Gujarat
શિક્ષણ

વિરમગામ ડી.સી. એમ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમા નેશનલ ટોબેકો કન્ટ્રોલ પ્રોગ્રામ અંર્તગત કાર્યશિબીર, પપેટશો, નાટક, ચિત્રસ્પર્ધા યોજાઇ

     અમદાવાદ જિલ્લાના વિરમગામ સહીતના તમામ તાલુકાઓમાં તમાકુ મુકત અમદાવાદ જિલ્લો બનાવવાનુ મહાઅભિયાન હાથ ધરવામા આવેલ છે. જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ  અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવ તથા જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી  ડો.ચિંતન દેસાઇ ના માર્ગદર્શન મુજબ સમગ્ર અમદાવાદજિલ્લામા તમાકુ મુકત સમાજ રચના કરવા જન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામા આવી રહયા છે. જે અંતર્ગત  વિરમગામની ડી.સી.એમ. આર્ટસ એન્ડ કોર્મસ કોલેજમા પ્રિન્સીપાલ નીતીનભાઇ પેથાણીના  પ્રમુખ સ્થાને  નેશનલ ટોબેકો કન્ટ્રોલ પ્રોગ્રામ અર્તગત કાર્યશિબીર, પપેટશો, નાટક, ચિત્ર સ્પધા યોજવામા આવ્યા હતા. આ કાર્યક્રમમાં અર્બન હેલ્થ ઓફીસર વિરમગામ ડો સંગીતા પટણી, જિલ્લા આઇ.ઇસી. અધીકારી વિજય પડિત ટીઆઇઇસીઓ  કે.એમ.મકવાણા, જયેશ પાવરા,   ડો.ઉર્વી ઝાલા  ડો. મયુરેશ ગઢવી, વિરેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને તમાકુ મુકત સમાજ રચવા માટે જાણકારી આાપી હતી.  
   અર્બન હેલ્થ ઓફીસર વિરમગામ ડો સંગીતા પટણી અને  જિલ્લા આઇ.ઇ.સી. અધીકારી વિજય પડિતે જણાવ્યુ કે તમાકુના સેવનથી દર વર્ષે વિશ્વમાં ૫૫ લાખથી વધુ લોકો મોતને ભેટે છે. ભારતમાં દર વર્ષે  ૧૦ લાખથી વધુ લોકો તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે. ભારતમાં તમાકુના સેવનથી દરરોજ ૨૭૦૦થી વધુ લોકો મૃત્યુ પામે છે અને દર મિનીટે બે વ્યક્તિ મોતને ભેટે છે. ભારતમાં કેન્સરના ૧૦૦ પૈકી ૪૦ કેસો તમાકુ સાથે સંકળાયેલા હોય છે અને મોઢાના કેન્સરના લગભગ ૯૫ ટકા જેટલા કેસો તમાકુના સેવનના લીધે થાય છે. વિરમગામની ડી.સી.એમ.  કોલેજ   ખાતે આયોજિત કાર્યક્રમમાં  સપ્તધારા  સાણદની ટીમ સુરેશ દાણીદાર, પ્રવિણ સોલંકી , મુકેશ મકવાણા ની ટીમ દ્રારા  વ્યસન મુક્તિ નાટક અને પપેટ શો રજુ કરવામાં આવ્યો હતો. જેને  વિધાર્થીઓમા આકર્ષણ જમાવ્યુ હતુ. વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. અને તમાકુ મુકત સમાજ બનાવવા માટેના શપથ પણ  લેવડાવવામા આવ્યા હતા વિધાર્થીઓ દ્રારા ચિત્રસ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા યોજવામા આવી હતી તેમા પ્રથમ ત્રણ સ્પધકોને  મહાનુભાવો ના વરદ હસ્તે ઇનામ આાપવામા આવ્યા હતા પ્રિન્સીપાલ ડો.નીતીનભાઇ પેથાણી, પ્રો.અશ્વિનભાઇ આણદાણી, પ્રો.આર.ડી.ચૌધરી  હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અમદાવાદ જિલ્લાને તમાકુ મુક્ત કરવાના અભીયાન કાર્યરત છે. તમાકુ વિરોધી કાયદાનો અમલ સમગ્ર અમદાવાદ જિલ્લામાં કરવામાં આવી રહ્યો છે.
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા 

Related posts

१०वी की पूरक परीक्षा का परिणाम सिर्फ ९ फीसदी

aapnugujarat

સીબીએસઈ સ્કૂલોમાં બાળકોની સુરક્ષાને લઈ માર્ગદર્શિકા જાહેર કરાઈ

aapnugujarat

પર્સેન્ટાઇલ પદ્ધતિને ગેરકાયદે ઠરાવતા આદેશની સામે સ્ટે : રાજય સરકાર દ્વારા હાઇકોર્ટમાં નિવેદન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1