પર્થ ટેસ્ટમાં થયેલી ટીમ ઇન્ડિયાની હારની સાથે એક તરફ જ્યાં કેપ્ટન કોહલી પૂર્વ ખેલાડીઓના નિશાન પર છે જ્યારે ફિલ્ડ પર તેમના વ્યવહારને લઇને ઓસ્ટ્રેલિયન મીડિયા પણ તેની પાછળ પડી ગઇ છે. કોહલીની આક્રમકતા સમય ચર્ચાનો સૌથી મહત્વનો વિષય બની ગયો છે.
કેપ્ટન કોહલી પહેલા ટીમના આક્રમક કેપ્ટન તરીકે પ્રખ્યાત રહેલા સૌરવ ગાંગુલી હવે આ મામલે કોહલીની સાથે છે. તેમનું કહેવું છે કે હવે પણ આ સીરીજમાં બે ટેસ્ટ બાકી છે અને ટીમ ઇન્ડિયાની અંદર એટલી તાકાત છે કે તે આ બન્ને ટેસ્ટ જીતી શકે છે. સૌરવે ટ્વીટ કરીને કહ્યું કે મીડીયામાં ઘણી વાતો થઇ રહી છે ખાસ કરીને ઓસ્ટ્રેલિયન મીડિયામાં. તસવીર હાલ બાકી છે. હવે બે ટેસ્ટ થશે અને ભારત તે જીતી શકે છે. અત્યારથી આટલી આલોચના કરવાની જરૂર નથી.
ટીમ ઇન્ડિયાની હાર બાદ સૌરવ ગાંગુલીના વ્યક્ત કરવામાં આવેલા આ વિશ્વાસ તરીકે ભારતીય ટીમના મનોબળ પર પોઝિટિવ અસર પડશે સાથે જ તે ઓસ્ટ્રેલિયા મીડિયાને પણ જવાબ મળશે જે કેપ્ટન કોહલીની પાછળ લાગી છે.
મીડિયા જ નહીં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી પણ કોહલીના વ્યવહારની આલોચનામાં તમામ સીમાઓ પાર કરી રહ્યા છે. પૂર્વ તેજ બોલર મિચેલ જોનસને તો કોહલીના વ્યવહારને મુર્ખતા ગણાવી દીધી છે. જોકે, તેનો જવાબ ભારતના પૂર્વ તેજ બોલર રહેલા જહીર ખાને આપ્યો છે અને કોહલીને સલાહ આપી છે કે તે જેવા છે તેવા જ રહે. તેમની આક્રમકતાને ના છોડે.