Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનની કોર્ટે ૩૫૦ ભારતીય માછીમાર કેદીઓને છોડી મૂકવાનો આદેશ આપ્યો

ઈસ્લામાબાદની એક અદાલતે ૩૫૦ ભારતીય માછીમારોને જેલમાંથી છોડી મૂકવાનો આજે આદેશ આપ્યો છે.
ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ આ ભારતીય માછીમારોને પકડીને અહીંની જેલમાં પૂરવામાં આવ્યા હતા.જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મલીર સલમાન અમજીદ સિદ્દિકીએ ગૃહ મંત્રાલયને આદેશ આપ્યો છે કે ભારતીય માછીમારોને વહેલી તકે છોડી મૂકવામાં આવે.
જજે એમના ઓર્ડરમાં જણાવ્યું છે કે આ માછીમારોએ પાકિસ્તાનની જેલમાં આઠ મહિના વિતાવ્યા છે અને કોર્ટ આને એમની સજા તરીકે માને છે.ગેરકાયદેસર રીતે માછીમારી બદલ પકડાયેલા માછીમારોને બંને દેશની સરકાર નિયમિત રીતે છોડી મૂકતી હોય છે, કારણ કે અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સ્પષ્ટ સીમા આંકવામાં આવી નથી.

Related posts

Americans lost their lives for security of Afghanistan : US president

aapnugujarat

चीन में भूकंप के झटकों से धंसी कोयला खदान, 9 खनिकों की मौत

aapnugujarat

अमेरिका के खिलाफ हमले हुए तो किम जोंग को ही मुश्किल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1