Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનની કોર્ટે ૩૫૦ ભારતીય માછીમાર કેદીઓને છોડી મૂકવાનો આદેશ આપ્યો

ઈસ્લામાબાદની એક અદાલતે ૩૫૦ ભારતીય માછીમારોને જેલમાંથી છોડી મૂકવાનો આજે આદેશ આપ્યો છે.
ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ આ ભારતીય માછીમારોને પકડીને અહીંની જેલમાં પૂરવામાં આવ્યા હતા.જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મલીર સલમાન અમજીદ સિદ્દિકીએ ગૃહ મંત્રાલયને આદેશ આપ્યો છે કે ભારતીય માછીમારોને વહેલી તકે છોડી મૂકવામાં આવે.
જજે એમના ઓર્ડરમાં જણાવ્યું છે કે આ માછીમારોએ પાકિસ્તાનની જેલમાં આઠ મહિના વિતાવ્યા છે અને કોર્ટ આને એમની સજા તરીકે માને છે.ગેરકાયદેસર રીતે માછીમારી બદલ પકડાયેલા માછીમારોને બંને દેશની સરકાર નિયમિત રીતે છોડી મૂકતી હોય છે, કારણ કે અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સ્પષ્ટ સીમા આંકવામાં આવી નથી.

Related posts

कोलोराडो के पूर्व गवर्नर ने राष्ट्रपति पद की दौड़ से हटने का किया एलान

aapnugujarat

પાકિસ્તાનને ધિરાણ આપતાં પહેલાં ચીન સાથેનો હિસાબ સરભર કરાશે : અમેરિકા

aapnugujarat

Google gets permission for work and continue to sell its Android license to Huawei and sub brand Honor

aapnugujarat

Leave a Comment

UA-96247877-1