Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સુરજેવાલાએ મોદી-યોગીને તુઘલક-ઔરંગઝેબ સાથે સરખાવ્યા

કોંગ્રેસ પ્રવક્તા રણદિપ સુરજેવાલાએ વડાપ્રધાન મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, મોદીજી મહમ્મદ બિન તુઘલકની જેમ વ્યવહાર કરે છે જ્યારે અજયસિંહ બિષ્ટ એટલે કે યોગી આગિત્યના ઔરંગઝેબની જેમ વ્યવહાર કરે છે. તેમણે પુછ્યુ કે દેશમાં તાલિબાની વ્યવસ્થા ચાલશે કે લોકતાંત્રિક રીતે દેશ આગળ વધશે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન હાલ જે રીત વિરોધી દળોના નેતાઓ પર નિશાન સાધ્યા છે. મોદીજીને જે સારૂ લાગે તેને જમીન પર ઉતારવા માટે ફરમાન સંભળાવી દે છે. તેઓ પોતાના સહયોગીની વાત સાંભળવી પસંદ કરતા નથી. રાજકિય દ્વેશ હેઠળ તેઓ વિરોધી દળના નેતાઓને ટાર્ગેટ કરે છે.
આ સિવાય તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને નિશાને લેતા કહ્યું કે, તેમની ભાષા કોઇ મુખ્યમંત્રીની ભાષા હોય શકે નહી. તેઓ અપરાધીઓના ખાત્માની વાતો કરે છે પરંતુ બુલંદશહેરમાં જે કંઇ પણ થયું તેને આપ શું કહેશો.

Related posts

લગ્ન વગર પણ લિવ ઇનમાં બે પુખ્તવયના લોકો રહી શકે : સુપ્રીમ કોર્ટ

aapnugujarat

Illegally detained at residence and not allowed to move out : Mehbooba Mufti

editor

અહેમદ પટેલની જીત છતાં અમિત શાહનું મિશન જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1