આજરોજ તા.2 નવેમ્બરના રોજ પરિવાર સાથે રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોર પરિવાર સાથે પ્રાતઃઆરતીમાં ઉપસ્થીત રહ્યા હતા. આરતી બાદ તેઓએ તત્કાલ મહાપૂજા કરી હતી. કેબીનેટ મંત્રી ગણપતભાઇ વસાવાએ સોમનાથ મહાદેવને અભિષેક, તત્કાલપૂજા કરેલ હતી. સોમનાથ માં ચાલી રહેલ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ની માહિતિ મેળવેલ હતી. બંને મહાનુભાવોનું શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવેલુ હતું.
તસવીર મહેન્દ્ર ટાંક સોમનાથ