Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં બ્રાહ્મણોનું શોષણ થઈ રહ્યું છે : માયાવતી

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં પોલીસ દ્વારા વિવેક તિવારીની કરવામાં આવેલી હત્યાથી રાજકારણ ગરમાયું છે. આ મામલે રાજયના બે પૂર્વ મુખ્યમંત્રીઓએ સરકારને આડે હાથે લીધી છે. સોમવારે માયાવતીએ કહ્યું કે અમે આ મામલે પરિવાર સાથે છીએ. સરકાર આરોપી પોલિસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમને કહ્યું કે રાજયમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સુધરવી જોઈએ. માયાવતીએ યોગી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે યોગી રાજમાં બ્રાહ્મણોનું શોષણ થઈ રહ્યું છે. માયાવતી એ કહ્યું કે જો હું મુખ્યમંત્રી હોત તો પહેલા ગુનેગાર પોલિસ અધિકારીઓ સામે એકશન લઈને બાદમાં પરિવારને મળતી.

Related posts

રાહુલની દખલગીરીના કારણે મંત્રીપદ છોડ્યું હતું : પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ.કૃષ્ણા

aapnugujarat

દુનિયા માટે સૌથી મોટુ સંકટ છે આતંકવાદ અને કટ્ટરપંથ : રાજનાથ સિંહ

editor

મોદી સરકારની ખેડૂતોને ક્રિસમસ ભેટ : દર મહિને ચૂકવશે સેલેરીે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1