Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગુનેગારને પકડવા ગયેલા પોલીસ અધિકારીની હત્યા

દેશના અલગ અલગ રાજ્યોમાં ટોળા દ્વારા કાયદો હાથમાં લઈને શકમંદ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાઓનો સિલસિલો અટકી રહ્યો નથી. વધુ એક ઘટના મધ્યપ્રદેશમાં બની છે.એમપીના છિંદવાડા જિલ્લામાં ગુનેગાર જૌહર સિંહને પકડાવા માટે ગયેલા આસિસટન્ટ સબ ઈન્સેપક્ટર દેવચંદ નાગલેની ગામના લોકોએ મંગળવારે રાતે હત્યા કરી નાંખી હતી. ટોળાએ તેમના પર કુહાડી, ડંડા સાથે હુમલો કર્યો હતો.આ મામલામાં પોલીસે ૮ લોકોની ધરપકડ કરી છે.નાગલેની સાથે અન્ય એક પોલીસ કર્મી પણ હતો.જોકે તે ટોળાના હાથમાંથી બચીને નાસી છુટ્યો હતો.મધ્યપ્રદેશના સિંરોલી જિલ્લામાં આ પહેલા બાળક ચોરીની શંકાના આધારે એક મહિલાની ટોળાએ હત્યા કરી નાંખીને તેની લાશ જંગલમાં ફેંકી દીધી હતી.

Related posts

ચીનની ધમકી વચ્ચે ડોભાલે વડાપ્રધાન મોદીને સ્થિતિની જાણકારી આપી

aapnugujarat

મહાગઠબંધનમાં તિરાડ વચ્ચે નીતિશ કુમાર રાહુલને મળ્યા

aapnugujarat

तमिलनाडु: नेवेली लिग्नाइट कॉर्पोरेशन में बॉयलर ब्लास्ट, 5 की मौत

editor

Leave a Comment

UA-96247877-1