દેશના અલગ અલગ રાજ્યોમાં ટોળા દ્વારા કાયદો હાથમાં લઈને શકમંદ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાઓનો સિલસિલો અટકી રહ્યો નથી. વધુ એક ઘટના મધ્યપ્રદેશમાં બની છે.એમપીના છિંદવાડા જિલ્લામાં ગુનેગાર જૌહર સિંહને પકડાવા માટે ગયેલા આસિસટન્ટ સબ ઈન્સેપક્ટર દેવચંદ નાગલેની ગામના લોકોએ મંગળવારે રાતે હત્યા કરી નાંખી હતી. ટોળાએ તેમના પર કુહાડી, ડંડા સાથે હુમલો કર્યો હતો.આ મામલામાં પોલીસે ૮ લોકોની ધરપકડ કરી છે.નાગલેની સાથે અન્ય એક પોલીસ કર્મી પણ હતો.જોકે તે ટોળાના હાથમાંથી બચીને નાસી છુટ્યો હતો.મધ્યપ્રદેશના સિંરોલી જિલ્લામાં આ પહેલા બાળક ચોરીની શંકાના આધારે એક મહિલાની ટોળાએ હત્યા કરી નાંખીને તેની લાશ જંગલમાં ફેંકી દીધી હતી.