Aapnu Gujarat
ગુજરાત

સગીરાને વેચી દેવાના કાંડનો પર્દાફાશ : ચારની અટકાયત

શહેરના સરદારનગર વિસ્તારમાંથી ગુમ થયેલી એક સગીરાને પોલીસે સહીસલામત રીતે મુકત કરાવતાં સગીરાને વેચી મારવાના ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સરદારનગર પોલીસે આ સમગ્ર કૌભાંડમાં બે મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, સરદારનગર વિસ્તારમાંથી એકાદ વર્ષ પહેલાં એક સગીરાને મીના લુહાર અને અન્ય એક મહિલા વસ્તુ અપાવવાની લાલચ આપી અપહરણ કરી લઇ ગઇ હતી. પૈસાની લાલચમાં આ નિર્દોષ સગીરાને જોધપુરમાં એક શખ્સને વેચી મારવામાં આવી હતી અને તેની સાથે બળજબરીપૂર્વક લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. બીજીબાજુ, સરદારનગર પોલીસ એક વર્ષથી સગીરાના ગુમ થયાની જાણવાજોગ અંગે ઝીણવટભરી તપાસ ચલાવી રહી હતી ત્યારે આજે પોલીસના હાથે મહિલા આરોપી મીના લુહાર સહિતના ચાર આરોપીઓ હાથ લાગ્યા હતા. પોલીસે બાતમીના આધારે ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા અને તેમની કડકાઇથી પૂછપરછમાં ઉપરોકત કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ધરપકડ કરેલ ચાર આરોપીઓમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. સરદારનગર પોલીસે આરોપીઓ વિરૂધ્ધ અપહરણ, છેતરપીંડી, વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સગીરાને વેચ્યા બાદ તેને કયાં કયાં રખાઇ, આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે, આ સિવાય આરોપીઓએ આ પ્રકારે અન્ય કોઇ સગીરા કે બાળકીઓને વેચી મારી છે કે કેમ તે સહિતની બાબતોની તપાસ માટે આરોપીઓની કડક પૂછપરછ શરૂ કરી છે.

Related posts

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સભ્યપદેથી આર.જી. શાહને દૂર કરાયા

aapnugujarat

સુજલામ-સુફલામ યોજના અંતર્ગત લાખોનો કરેલ ખર્ચ કોરોકટ

editor

इन्फ्रास्ट्रक्चर से पहले जनमित्र कार्ड प्रोजेक्ट की घोषणा से विवाद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1