Aapnu Gujarat
બિઝનેસ

અર્થતંત્રની સ્થિતિ સુધારા પર : અરવિંદ સુબ્રમણ્યમ

આર્થિક સર્વેની લોકસભામાં રજૂઆત પછી મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે જણાવ્યું છે કે અર્થતંત્રની સ્થિતિ સુધારા પર છે. વધુમાં નિકાસમાં વધારો થતાં અર્થતંત્રને વેગ સાંપડી શકે છે. આટલું જ નહીં નોટબંધી અને જીએસટીની અસર દૂર થઈ છે. સરકારે પણ આ માટે મહત્વના પગલાં લીધા છે.સુબ્રમણ્યમે વધુમાં જણાવ્યું હતું કે ક્રૂડમાં વધી રહેલા ભાવની જીડીપી પર સીધેસીધી અસર થશે. ગયા વર્ષની સરખાણીએ આ વખતે ક્રૂડના ભાવમાં ૧૫થી ૧૬ ટકાનો વધારો થવાની ધારણા છે. આ પડકારને પહોંચી વળવાની જરૂર છે.તેમણે જણાવ્યું હતું કે જીએસટીમાં હજુ વધુ સુધારાની જરૂર છે આ સાથે કૃષિ ક્ષેત્રને પણ સહાયતા આપવી પડશે. વધુમાં એર ઈન્ડિયાના ખાનગીકરણની પણ જરૂર છે. આ ઉપરાંત મેક્રો ઈકોનોમિક દબાણનો પણ સામનો કરવાનો રહેશે. જીએસટીના અમલ પછી વસુલાતમાં વધારો નોંધાયો છે. જ્યારે નવેમ્બર ૨૦૧૬માં વધુ ૧૮ગ લાખ રિટર્ન ફાઈલ થયા છે.

Related posts

જીડીપી અને આઈઆઈપીનાં આંક વચ્ચે બજારમાં પ્રવાહી સ્થિતિનાં સંકેત

aapnugujarat

હવે માત્ર ૮૯૯માં વિમાની યાત્રાની ઇન્ડિગોની ઓફર

aapnugujarat

ત્રીજા ક્વાર્ટરમાં વોડાફોન-આઈડિયાની ખોટ વધીને અધધધધ રૂ.૫૦૦૫ કરોડ થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1