આર્થિક સર્વેની લોકસભામાં રજૂઆત પછી મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે જણાવ્યું છે કે અર્થતંત્રની સ્થિતિ સુધારા પર છે. વધુમાં નિકાસમાં વધારો થતાં અર્થતંત્રને વેગ સાંપડી શકે છે. આટલું જ નહીં નોટબંધી અને જીએસટીની અસર દૂર થઈ છે. સરકારે પણ આ માટે મહત્વના પગલાં લીધા છે.સુબ્રમણ્યમે વધુમાં જણાવ્યું હતું કે ક્રૂડમાં વધી રહેલા ભાવની જીડીપી પર સીધેસીધી અસર થશે. ગયા વર્ષની સરખાણીએ આ વખતે ક્રૂડના ભાવમાં ૧૫થી ૧૬ ટકાનો વધારો થવાની ધારણા છે. આ પડકારને પહોંચી વળવાની જરૂર છે.તેમણે જણાવ્યું હતું કે જીએસટીમાં હજુ વધુ સુધારાની જરૂર છે આ સાથે કૃષિ ક્ષેત્રને પણ સહાયતા આપવી પડશે. વધુમાં એર ઈન્ડિયાના ખાનગીકરણની પણ જરૂર છે. આ ઉપરાંત મેક્રો ઈકોનોમિક દબાણનો પણ સામનો કરવાનો રહેશે. જીએસટીના અમલ પછી વસુલાતમાં વધારો નોંધાયો છે. જ્યારે નવેમ્બર ૨૦૧૬માં વધુ ૧૮ગ લાખ રિટર્ન ફાઈલ થયા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ