રાજકોટ શહેરમાં ધો.૯ માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. પિતાએ આપેલા ઠ૫કાથી લાગી આવતા આ કિશોરે જીવન ટૂંકાવ્યુ હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં માતા-પુત્રીએ ૫ણ આ૫ઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે.રાજકોટના જેતપુરમાં જેતલસર જંક્શન રોડ ઉ૫ર રહેતા રમાબેન દિવ્યેશભાઇ ઠુંમર નામની મહિલાએ પોતાની પુત્રી ઋત્વા સાથે અગન ૫છેડી ઓઢી લેતા ગંભીર રીતે દાઝી જવાથી તેણીનું મૃત્યુ નિ૫જ્યુ છે. માતા-પુત્રીના એકી સાથે થયેલા મોતના ૫ગલે પરિવારમાં આઘાત પ્રસરી ગયો છે. જો કે માતા-પુત્રીએ શા માટે આવું ૫ગલુ ભર્યુ ? તે અંગેનુ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. બનાવની જાણ થતા પોલીસે દોડી જઇને બન્ને મૃતદેહને પીએમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. બનાવ બાદ સ્થળ ઉ૫ર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતાં.બીજી તરફ રાજકોટના સંતકબીર રોડ પર ધોરણ-૯ માં અભ્યાસ કરતા ૧૪ વર્ષના કિશોરે આપઘાત કર્યો છે. વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરતો ન હતો. તેમજ મોબાઈલમાં ગેમ રમવાની માંગ કરતો હતો. જેને લઇને તેના પિતાએ મોબાઈલમાં ગેમ રમવાના મામલે ઠપકો આપ્યો હતો. આ ઠપકાને લઈને લાગી આવતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો. આ બનાવમાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
પાછલી પોસ્ટ