Aapnu Gujarat
મનોરંજન

નાગિન-૩માં જોવા મળશે અનિતા હંસનંદાની અને સુરભી જ્યોતિ

કલર્સ ટીવીનો સૌથી હિટ શો રહેલ નાગિનની ત્રીજી સિઝન આવી રહી છે. અગાઉની બે સિઝન તો ગ્લેમર અને રોમાંચની ભરપૂર હતી.  અગાઉની સિઝનમાં ઇચ્છાધારી નાગિનના ટોપિકને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો અને સાથે જ નાગિનના રૂપમાં મૌની રૉયને પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. હવે આગામી સિઝન માટે એકતા કપૂરે પૂરી તૈયારી કરી લીધી છે.આ સિઝનમાં મૌની રૉય અને અદા ખાન જોવા નહી મળે. તેમના સ્થાને બે નવી નાગિનોઆ શોમાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સિઝનમાં અનિતા હંસનંદાની અને સુરભી જ્યોતિ જોવા મળશે.અનિતા હંસનંદાની હાલ યે હે મહોબ્બતે સિરિયલમાં જોવા મળી રહી છે અને સુરભી જ્યોતિ અગાઉ કુબુલ હે સિરિયલમાં જોવા મળી છે.સુરભી અને અનિતા પોતાના હોટ અંદાજ માટે જાણીતી છે.જો આ શોમાં આ બંને હોટ અભિનેત્રીઓની એન્ટ્રી થશે તો શોની ટીઆરપી વધવાની પૂરેપૂરી શક્યતાં છે.અગહાઉ નાગિન શો સૌથી વધુ ટીઆરપી ધરાવતો શો બની ગયો હતો અને તેણે બાકીના તમામ શોને ટીઆરપીની રેસમાં પાછળ મૂકી દીધાં હતાં. આ શોની ટીઆરપી એટલી હતી કે લોકપ્રિય શો બિગબોસની ટીઆરપીને પણ તેણે માત આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ સિરિઝમાં કરણવીર બોહરા પણ જોવા મળશે.

Related posts

ऐक्टर कमाल राशिद खान को हुआ पेट का कैंसर

aapnugujarat

सोनू सूद ने अवैध निर्माण केस में सुप्रीम कोर्ट में दायर याचिका

editor

પનામા પેપર્સ મામલે બચ્ચન પરિવારની મુશ્કેલી વધી

editor

Leave a Comment

UA-96247877-1