Aapnu Gujarat
મનોરંજન

‘પદમાવતી’ ૨૦૧૮માં ફ્રેબુઆરીમાં રિલીઝ થશે

સતત વિવાદોમાં ઘેરાયેલી સંજય લીલા ભંણસાલીની ‘ પદમાવતી’ની ભારતમાં રિલીઝને લઇને એક મહત્વના સમાચાર આવ્યા છે. દિપીકા પાદૂકોણ, રણવીરસિંહ અને શાહિદ કપૂર અભિનીત ‘પદમાવતી’ને લઇને દરરોજ વિરોધ વધતો જોવા મળી રહ્યોં છે. જો કે અત્યારે વિવાદોને કારણે નિર્માતા મૌન ધારણ કર્યુ છે પરંતુ એવુ લાગી રહ્યું છે કે ફિલ્મના જલ્દીથી સારા દિવસો આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે ૨૦૧૮માં ફ્રેબુઆરીમાં રિલીજ થશે. એક સૂત્રની મળતી માહિતી મુજ્બ, ફિલ્મમેકર્સએ પદમાવતીને ફેબ્રુઆરીમાં રિલીજ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, અત્યારે ફિલ્મની રિલીજને લઇને કોઇ તારીખ નક્કી નથી પરંતુ તે ફેબ્રુઆરીમાં રિલીજ થશે.જો કે, ‘પદમાવતી’ને ૧ ડિસેમ્બરના રોજ રિલીજ થવાની હતી, પરંતુ હવે નિર્માતા આ તારીખને પાછળ ઘકેલી રહ્યાં છે. કેટલાક સંગઠનોના વિરોધ પછી ફિલ્મની રિલીજની તારીખ પાછળ ઘકેલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેટલાક સંગઠનો અને નેતાઓનો આરોપ છે કે ફિલ્મમાં ઇતિહાસના તથ્યો સાથે ચેડા કરવામાં આવ્યા છે.

Related posts

બાયોપિકમાં સંજય દત્તની લાઇફને યોગ્ય રીતે રજૂ કરાશે

aapnugujarat

कपिल को आते हैं सूइसाइड के ख्याल : भूतपूर्व गर्लफ्रेंड प्रीति

aapnugujarat

‘ટાઈગર ઝિંદા હૈ’ એ ૧૨ દિવસમાં ૨૦૦ કરોડથી વધારેની કમાણી કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1