સપ્ટેમ્બર મહિનાનો વડોદરા જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મહિનાના ચોથા ગુરુવાર તા.૨૮/૦૯/૨૦૧૭ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે યોજાવાનો છે. આ કાર્યક્રમમાં પ્રશ્ન રજુ કરવા માંગતા અરજદારોને તેઓના સેવાકીય, કોર્ટમેટર, રહેમરાહે નોકરી કે પેન્શન સિવાયના પ્રશ્નો લેખિતમાં તા.૧૧/૦૯/૨૦૧૭ સુધીમાં કલેકટર કચેરીમાં પોસ્ટથી કે રૂબરૂમાં રજુ કરવાના રહેશે. અરજી ઉપર સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા હેઠળ લેવું તેવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. આ અંગેની અરજી બે નકલમાં આપવાની રહેશે. નિયત સમયમાં મળેલી અરજીઓ જ ધ્યાને લેવાશે એમ નિવાસી અધિક કલેકટરશ્રીની યાદીમાં જણાવાયુ છે. વિગતવાર જાણકારી માટે કલેકટર કચેરીની જનસંપર્ક શાખાનો સંપર્ક કરવો.