Aapnu Gujarat
રાષ્ટ્રીય

વિદેશમાં કમાઈને ઘરે મોકલવામાં ભારતીયો નંબર વન

ફોરેન રેમિટન્સની બાબતમાં ભારતીયો ફરી એક વખત સૌથી આગળ નીકળી ગયા છે. ભારતીયો વિદેશમાં જઈને કમાય છે અને નાણાં બચાવીને પોતાના વતન મોકલે છે. વર્ષ 2023માં ભારતીયોએ લગભગ 125 અબજ ડોલર રેમિટન્સથી સ્વદેશ મોકલ્યા છે તેવું વર્લ્ડ બેન્કના આંકડા દર્શાવે છે. ભારતીયો વિદેશ જઈને પોતાના દેશમાં વધુ નાણાં મોકલી રહ્યા છે તેના ઘણા કારણો છે. દુનિયાના હાઈ -ઈન્કમ દેશોમાં ફુગાવો ઘટ્યો છે અને લેબર માર્કેટમાં ઘણી ડિમાન્ડ છે. તેના કારણે ત્યાં કામ કરતા ભારતીયોની આવક વધી છે. ખાસ કરીને અમેરિકા, યુકે અને સિંગાપોરમાં કામ કરતા ભારતીયોએ કુલ રેમિટન્સમાં 36 ટકા ફાળો આપ્યો છે.

આ ઉપરાંત અખાતના દેશોમાં વસતા ભારતીયો પણ પોતાના દેશમાં જંગી રકમ મોકલે છે. ભારત અને UAE વચ્ચે તાજેતરમાં કરાર થયા છે જેનાથી દ્વિપક્ષીય વ્યાપાર માટે ડોલરના બદલે રૂપિયા અને દિરહામનો ઉપયોગ થવા લાગ્યો છે.

જોકે, રેમિટન્સના ગ્રોથમાં ઘટાડો થવાની શક્યતા છે. વર્ષ 2022માં રેમિટન્સનો ગ્રોથ રેટ 24.4 ટકા હતો જે 2023માં ઘટીને 12.4 ટકા થવાની શક્યતા છે. વર્લ્ડ બેન્કના લેટેસ્ટ માઈગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ અનુસાર રેમિટન્સનું પ્રમાણે અગાઉ કરતા 14 અબજ ડોલર વધીને 125 અબજ ડોલર થવાની શક્યતા છે. સાઉથ એશિયાના દેશોમાં કુલ રેમિટન્સમાં ભારતનો હિસ્સો 63 ટકા હતો જે હવે વધીને 66 ટકા થવાની શક્યતા છે.

વિદેશી કમાણી ઘરે મોકલવામાં ભારતીયો આખી દુનિયામાં આગળ છે જ્યારે બીજા નંબર પર મેક્સિકો અને ત્રીજા નંબરે ચીન છે. મેક્સિકોમાં 67 અબજ ડોલરનું રેમિટન્સ આવ્યું છે જ્યારે ચીનના લોકોએ વિદેશમાં કામ કરીને પોતાના દેશમાં 50 અબજ ડોલર મોકલ્યા છે. ફિલિપાઈન્સમાં 40 અબજ અને ઈજિપ્તમાં રેમિટન્સથી 24 અબજ ડોલર ઠલવાયા છે. ઓછી અથવા મધ્યમ આવક ધરાવતા દેશોમાં રેમિટન્સમાં 3.8 ટકા વધારો થયો છે. આગામી વર્ષમાં ફુગાવાનો દર વધશે તો લોકોની રિયલ આવક ઘટશે તેવી બીક છે. ભારત અને યુએઈ વચ્ચે લોકલ કરન્સીના ઉપયોગ અંગે એગ્રીમેન્ટ થયા છે તેનાથી રેમિટન્સમાં વધારો થયો છે.

ભારત ઘણા વર્ષોથી આખી દુનિયામાંથી ફોરેન રેમિટન્સ મેળવવામાં આગળ છે. નાણાકીય વર્ષ 2022માં ભારતમાં 110 અબજ ડોલરનું રેમિટન્સ આવ્યું હતું જે ભારતીય જીડીપીના 3.2 ટકા જેટલું હતું.

ભારતીયો પરંપરાગત રીતે અખાતના દેશોમાં કારીગર તરીકે અથવા મજૂર તરીકે કામ કરતા હોય છે. પરંતુ હવે આધુનિક દેશોમાં સારી જોબ કરીને પણ જંગી કમાણી કરી રહ્યા છે અને પોતાના દેશમાં મોકલી રહ્યા છે. વિદેશમાં જ્યારે તેજી હોય અને લોકોને સારા પગાર મળતા હોય ત્યારે તેનો ફાયદો ભારતીય ઈકોનોમીને પણ થાય છે કારણ કે લોકો રેમિટન્સ દ્વારા પોતાની કમાણી ઘરે પરત મોકલતા હોય છે.

Related posts

आरएसएस के खिलाफ विपक्ष को मिलकर लड़ना होगाः राहुल

aapnugujarat

पीओके में किशोरों को ट्रेनिंग देकर आतंकी बना रहा है हिज्बुल

aapnugujarat

Maharashtra polls : BJP releases Manifesto

aapnugujarat
UA-96247877-1