Aapnu Gujarat
ગુજરાત

રથયાત્રા પહેલા જ આતંકી હુમલાની ભીતિ સેવાઈ રહી છે

ગુજરાતમાં હાલ રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. પંરતુ તે પહેલા મોટી હલચલ થઈ છે. રથયાત્રા પહેલા જ આતંકી હુમલાની ભીતિ સેવાઈ રહી છે. કારણ કે, અમદાવાદના નારોલ વિસ્તારમાંથી ૩ શંકાસ્પદ લોકોની અટકાયત ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીના ઈનપુટ બાદ ગુપ્ત ઓપરેશન હાથ ધરાયુ હતું, જેના બાદ આ અટકાયત કરાઈ છે.
ૈંમ્ ના એલર્ટ બાદ ગુજરાત એટીએસએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. નારોલમાંથી ૩ શંકાસ્પદ યુવકોની અટકાયત કરવામાં આવી છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન કનેક્શનના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. હુમલાના ઈનપુટ મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અટકાયત કરેલા ૩ યુવકો સાથે સંકળાયેલા અન્ય લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા ૩ યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. આ યુવકો કેવી રીતે ગુજરાત આવ્યા અને શા માટે આવ્યા તેની તપાસ હાથ ધરાઈ છે.
જોકે, આ અટકાયત ગુજરાત પોલીસ માટે ટેન્શન અપાવે તેવી છે. કારણ કે, હાલ રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતના અનેક શહેરોમા રથયાત્રા નીકળે છે. જેમાં અમદાવાદની રથયાત્રા સૌથી મોટી હોય છે. આવામાં ગુજરાતમાં કોઈ આતંકી સળવળાટ થાય તો તે ભયનો માહોલ પેદા કરી શકે છે.
રાજ્યની સુરક્ષા એજન્સીએ ગુપ્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું. આ મામલે સ્થાનિક પોલીસ કે અમદાવાદની ન્ય એજન્સીઓને પણ કાનોકાન ખબર પડવા દીધી ન હતી. ઈન્ટેલિજન્સના ઈનપુટના આધારે આ અટકાયત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નારોલના ઔદ્યોગિક વિસ્તારમાંથી ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. નારોલ અને ચંડોળા તળાવની આસપાસ પહેલાથી જ અનેક બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે વસે છે. તેથી છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓનું સર્વેલન્સ ચાલી રહ્યુ હતું. આખરે ઈનપુટના આધારે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જે શખ્સોની અટકાયત કરાઈ છે, તેઓ બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે સંપર્કો ધરાવે છે તેવા આઈબીના ઈનપુટ હતા. આ યુવકોના ઘરની આસપાસ સઘન પૂછપરછ ચાલી રહી છે.

Related posts

Water capacity in resorvior is enough to last till July 31: CM Rupani

aapnugujarat

ધોળકા તાલુકાનાં રનોડા ગામમાં ૩૦ ઓગસ્ટનાં રોજ શ્રી મહાવીર મેઘમાયાદાદાનો જન્મોત્સવ ઉજવાશે

aapnugujarat

ગુજરાત પ્રદેશ અજાજ મિડિયા ટ્રસ્ટની ત્રીજી બેઠક મહેસાણા ખાતે યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1