Aapnu Gujarat
ગુજરાત

ચિખલામાં પિતરાઈ ભાઈએ જ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો

દાંતાના રાણપુર ગામના સુરમાભાઇ કાળાભાઇ પરમાર તેમના પરિવાર સાથે ચિખલા ગામે તેમના કાકા નરસાભાઇ નાનાભાઇ પરમારની દિકરીના લગ્નમાં ગયા હતા. ત્યાં તેમના પિતરાઇ ભાઇ ખીમાભાઇ ઉદાભાઇ પરમારને મળ્યા હતા. પણ તેને પિતરાઇ ભાઇ હોવા છતાં ઓળખવાનો ઇન્કાર કરી તેનું ગળું પકડી લેતાં મામલો બિચક્યો હતો. એક તરફ લગ્નનાં ગીતો ગવાતા હતા ત્યારે સુરમાભાઇનાં ત્રણ પિતરાઇ ભાઇઓ સુરમાભાઇને ફોસલાવી ઘરની પાછળ લઇ જઇ અણદાભાઇ ઉદાભાઇ પરમાર અને શંકરભાઇ ઉદાભાઇ પરમારએ સુરમાભાઇને પકડી રાખ્યો હતો અને ખીમાભાઇ ઉદાભાઇ પરમારે તેના હાથમાના ચપ્પાના પીઠનાં ભાગે ઘા મારી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ચપ્પાનાં ઘા થી ઇજાગ્રસ્ત બનેલો સુરમાભાઇ તરફડીયા મારતો ઘર આગળ જ તેનું મોત નિપજ્યું હતું. જ્યાં સમગ્ર લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાતાં દોડધામ મચી હતી. આ બાબતની જાણ અંબાજી પોલીસને થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મરનાર સુરમાભાઇ પરમારનાં મૃતદેહને અંબાજીની જનરલ હોસ્પિટલમાં લાવી તેનાં પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. આદીવાસી સમાજનાં અનેક લોકો મહિલાઓ સહીત અંબાજીની જનરલ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતદેહનો કબજાે મેળવ્યો હતો અને ફરિયાદ આપતાં મૃતકની માતા અને બહેનોએ પોતાના નિવેદન નોંધાવ્યા હતા અને જણાવ્યું હતું કે ‘આરોપીઓ જમીન પડાવી લેવા સારું અવાર-નવાર ઝઘડાઓ કરતા હતા. જેથી આ હત્યા જમીનની અદાવતમાં કરાઇ હોવાનું જણાવી આરોપીને સજા કરવાની માંગ કરી હતી.’ હત્યાની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી પકડી પાડવાં શોધખોળ હાથ ધરી છે. પોલીસ અધિકારીએ મીડીયા સમક્ષ કાંઇ કહેવા ઇન્કાર કર્યો હતો.દાંતાના રાણપુર નો યુવક તેમના પરીવાર સાથે તેના પિતરાઇ બહેનનાં લગ્નમાં ચિખલા ગામે ગયા હતા. જ્યાં યુવકનાં પિતરાઇ ભાઇઓએ બોલાચાલી કરી યુવકને ભોળવી ઘર પાછળ લઇ જઇ પીઠના ભાગે ચપ્પાનાં ઘા મારી હત્યા કરી દેવાતા લગ્નપ્રસંગ માતમમાં ફેરવાયો હતો.

Related posts

યુ.કે. વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯માં પાર્ટનર દેશ નહીં બને

aapnugujarat

૨૧ જાન્યુઆરીથી વેરાવળ અમદાવાદ વચ્ચે ઇન્ટરસિટી ટ્રેનનો થશે પ્રારંભ

editor

સાધ્વી જયશ્રીગીરી બે દિન માટે પોલીસ રિમાન્ડ ઉપર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1