Aapnu Gujarat
ગુજરાત

કૃષિ મંત્રી બે દિવસ સુધી જામનગરમાં, સર્કિટ હાઉસ તથા ગ્રામ્ય વિસ્તારમાં લોકસંપર્ક યોજશે

રાજ્યના કૃષિ અને ગૌ સવર્ધન મંત્રી રાઘવજી પટેલ બે દિવસના સતાવાર મુલાકાતે આવશે. આ નિમિતે તેઓ જિલ્લાના જુદા જુદા એપીએમસી ખાતે મુલાકાત લઇ ચર્ચાઓ કરશે. આ ઉપરાંત જામનગરમાં લોક સંપર્ક પણ યોજશે. આવતીકાલ તા.૦૧ એપ્રિલ શુક્રવાર અને તા.૦૨ એપ્રિલ શનિવાર સુધી રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે છે. જેમાં તેઓ તા.૦૧ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે એ.પી.એમ.સી. જોડીયા ખાતે ટેકાના ભાવે ચણાના ખરીદ કેન્દ્રની મુલાકાત, ૦૮:૩૦ કલાકે એ.પી.એમ.સી. ધ્રોલ ખાતે ટેકાના ભાવે ચણાના ખરીદ કેન્દ્રની મુલાકાત, ૦૯:૦૦ થી ૦૯:૩૦ કલાક સુધી ધ્રોલ કાર્યાલય ખાતે લોકસંપર્ક, ૧૦:૩૦ કલાકે એ.પી.એમ.સી. હાપા ખાતે ટેકાના ભાવે ચણાના ખરીદ કેન્દ્રની મુલાકાત, ૧૨:૦૦ થી ૧૭:૦૦ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. જેમાં મંત્રીશ્રી જિલ્લાના લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે. તા.૦૨ શનિવારના રોજ મંત્રીશ્રી ૧૬:૦૦ કલાક થી ૧૭:૩૦ કલાક સુધી રાજપર, સુમરા અને પીપરટોડા ખાતે લોકસંપર્ક યોજશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ કૃષિ મંત્રી પોતાના મત વિસ્તારમાં ફરી સક્રિય થઇ રહ્યા છે.

Related posts

વાકુલીના જંગલોમાં કાચબાનો વેપલો કરનારા ઝડપાયા

editor

સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણ સ્થિતિ સુધારવા પોષણ સુધા યોજના  આશીર્વાદરૂપ : મહિલા બાળ વિકાસ રાજ્યમંત્રી નિર્મલાબેન વાધવાણી

aapnugujarat

પેટાચૂંટણી : ભાજપે ચાર સીટો પર આયાતી ઉમેદવારો ઉતાર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1