Aapnu Gujarat
રાષ્ટ્રીય

એનઆઈએની તપાસ દરમિયાન સઇદ અલી શાહ ગિલાનીના હસ્તાક્ષર સાથેનું કેલેન્ડર

જમ્મુ કાશ્મીરમાં ટેરર ફંડિંગના મામલામાં કેન્દ્રીય તપાસ સંસ્થા એનઆઈએને મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગ્યા છે. એનઆઈએને હવે સઇદ અલી શાહ ગિલાનીના હસ્તાક્ષરવાળું એક કેલેન્ડર હાથ લાગ્યું છે જેમાં ધડાકો કરવામાં આવ્યો છે કે, ત્રાસવાદી કાવતરાની વિગતો મળી છે. અલગતાવાદી નેતાઓના અસલી ચહેરા ફરી એકવાર સપાટી ઉપર આવી ગયા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ પુરાવામાં અસ્થિરતા ઉભી કરવા અને કાશ્મીરમાં હિંસા ભડકાવવાની બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનઆઈએ દ્વારા સમગ્ર મામલામાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. ટેરર ફંડિંગ કેસમાં એનઆઈએને દરોડામાં જે પુરાવા મળ્યા છે તેમાં સઇદ અલી શાહ ગિલાનીના હસ્તાક્ષર કરવામાં આવેલા કેલેન્ડરનો ઉલ્લેખ છે. આ કેલેન્ડર અલગતાવાદી અલ્તાફ શાહના આવાસ ઉપર મળી આવ્યું હતું. આ કેલેન્ડરમાં કાશ્મીરમાં સેના અને સુરક્ષા દળોની સામે ધરણા પ્રદર્શન કરીને લોકોને ઉશ્કેરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. આ કેલેન્ડર ચોથી ઓગસ્ટ ૨૦૧૬નું છે. આ કેલેન્ડરથી સાફ થઇ જાય છે કે, કાશ્મીરમાં સેના અને સુરક્ષા દળો ઉપર પથ્થરમારો અને પ્રદર્શન કોઇ ત્વરિત પ્રતિક્રિયા નહી બલ્કે એક કાવતરાના ભાગરુપે છે.

Related posts

યુપી પેટાચૂંટણીમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે

aapnugujarat

મોદી ૨૦૨૪ સુધી વડાપ્રધાન તરીકે રહી શકે છે : રિપોર્ટ

aapnugujarat

અમેરિકામાં ભારતીય દંપતીનું શંકાસ્પદ મોત

editor

Leave a Comment

UA-96247877-1