Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઓક્સિજન મુદ્દે સરકારના નિવેદન માટે સરકાર પર કેસ થવો જાેઇએ ઃ સંજય રાવત

દેશમાં ઓક્સિજનના અભાવ એક પણ મોત ન થયાના કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલા નિવેદન બાદ વિપક્ષે સરકાર સામે બાયો ચડાવી છે. કોંગ્રેસ બાદ શિવસેનાએ પણ સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે આ નિવેદન પછી ઓક્સિજનના અભાવને કારણે તેમના પ્રિયજનો ગુમાવનારા પરિવારોને શું થયું હશે? સંજય રાઉતે કહ્યું કે, જૂઠ્ઠાણા બદલ સરકાર વિરુદ્ધ કેસ નોંધાવો જાેઇએ. આ સિવાય પેગાસસ કેસમાં પણ સંજય રાઉતે સરકારને ઘેરી છે. તેમણે કહ્યું છે કે વિપક્ષ આ જાસૂસી કેસમાં સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) અને સુપ્રીમ કોર્ટની દખલની માંગ કરી રહ્યો છે, જાે રવિશંકર પ્રસાદ વિપક્ષમાં હોત તો તેમણે પણ આ જ માંગ કરી હોત, આ માંગણી કરવામાં આવી રહી છે તો પછી સરકારે સત્ય બહાર આવવા દેવુ જાેઈએ. જ્યારે તમે કશું ખોટું કર્યું નથી, તો પછી ડરની વાત શું છે?

Related posts

વિપક્ષો પહેલા વડાપ્રધાન પદ માટેનો ઉમેદવાર તો શોધે : ઉદ્ધવ

aapnugujarat

Succeeding Girija Vaidyanathan, K. Shanmugam to take charge as Chief Secy of Tamilnadu

aapnugujarat

આવાસ યોજનાનું લક્ષ્ય ૨૦૨૦માં પૂર્ણ થશે : હરદીપસિંહ પુરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1