મહેસાણા જિલ્લાના નંદાસણ ગામનાં વણકરવાસમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં કોવિડ – ૧૯ રસી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ રાખવાનો મુખ્ય હેતુ એ હતો કે, યુવકો કોઈપણ જગ્યાએ ફેકટરી કે નોકરીઅર્થે જતાં હોય ત્યાં રસી મૂકાયાનાં સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે.
કાર્યક્રમનું આયોજન તંત્રી પત્રકાર મિડિયા ગ્રુપ મહેસાણા તેમજ સમગ્ર પરગણા વણકર સમાજના પ્રમુખ ભીખાભાઇ એ. મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. જિજ્ઞેશ કાપડીયા, પંચાયત સભ્ય સંજય પરમાર, આંગણવાડી કાર્યકરો અને આરોગ્ય કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કોરોના રસી અભિયાનમાં ૪૦ લોકોએ કોરોના રસીનો લાભ લીધો હતો.