Aapnu Gujarat
રમતગમત

ચેતન શર્મા – વિરાટ કોહલી આમને-સામને

ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મૅચની ટેસ્ટ સિરીઝથી પહેલા ટીમ ઇન્ડિયામાં વિવાદની શરૂઆત થઇ ગઇ છે. ચેતન શર્માની આગેવાની હેઠળ નેશનલ સિલેક્શન કમિટી અને વિરાટ કોહલી વચ્ચે બબાલ થઇ ગઇ છે.
ટીમ ઇન્ડિયાના ઓપનર શુભમન ગિલ ઇજાગ્રસ્ત થયો છે જેના કારણે તે ટીમમાંથી બહાર થઇ ગયો છે. વિરાટ કોહલીની ટીમ ઇચ્છતી હતી કે ગિલની જગ્યાએ પૃથ્વી શૉ અને દેવદત્ત પડિક્કલ ઇંગ્લેન્ડ વિરુદ્ધ મૅચમાં રમે. વિવાદ ત્યારે વધી ગયો જ્યારે સિલેક્ટર કમિટીએ દેવદત્ત અને શૉને ઇંગ્લેન્ડ મોકલવા માટે મનાઇ ફરમાવી દીધી હતી. કમિટીનું માનવુ છે કે ભારત પાસે ઘણા કાબેલ ખેલાડીઓ છે.
ચેતન શર્માની આગેવાનીવાળી નેશનલ સિલેક્શન કમિટી અનુસાર ટીમ ઇન્ડિયા સાથે ઇંગ્લેન્ડમાં પહેલા જ બંગાળના કેપ્ટન અભિમન્યુ ઇશ્વરન છે જે ઓપનીંગ માટે સારો વિકલ્પ છે. તો વિરાટની ટીમને અભિમન્યુ પર ભરોસો નથી. ચેતન શર્માની કમિટીએ દેવદત્ત અને શૉને ઇંગ્લેન્ડ મોકલવાની ના પાડતા મામલો બિચક્યો હતો. હાલ ટીમ ઇન્ડિયા માટે તણાવભર્યો માહોલ છે.

Related posts

કોહલીને લઇ સચિને કહ્યું,”તેની તુલના મારી સાથે ન કરો, મારો સમય અલગ હતો”

aapnugujarat

मेसी, रोनाल्डो यूईएफए प्लेयर ऑफ द ईयर अवार्ड के लिए नामांकित

aapnugujarat

पाक में डेविस कप को लेकर AITA-ITF की बैठक रद्द : महेश भूपति

aapnugujarat

Leave a Comment

UA-96247877-1